India

કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સંન્યાસ લેશે? દીકરાના નિવેદનથી રાજકારણમાં ચર્ચા છંછેડાઈ

By GS TEAM
22 Oct 20252 mins read
TukuTouch Logo
કર્ણાટકના રાજકારણમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રએ એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. નેતૃત્વ પરિવર્તનની અટકળોને નવો વળાંક આપતા યતીન્દ્રએ કહ્યું છે કે તેમના પિતા (સિદ્ધારમૈયા) પોતાની રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને તેમણે હવે સતીશ જારકીહોલી જેવા નેતાના માર્ગદર્શક બનવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સંન્યાસ લેશે? દીકરાના નિવેદનથી રાજકારણમાં ચર્ચા છંછેડાઈ

karnataka News : કર્ણાટકના રાજકારણમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રએ એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. નેતૃત્વ પરિવર્તનની અટકળોને નવો વળાંક આપતા યતીન્દ્રએ કહ્યું છે કે તેમના પિતા (સિદ્ધારમૈયા) પોતાની રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને તેમણે હવે સતીશ જારકીહોલી જેવા નેતાના માર્ગદર્શક બનવું જોઈએ.

શું છે સમગ્ર મામલો? 

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બન્યા બાદથી જ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વચ્ચે ખેંચતાણના સમાચાર આવતા રહ્યા છે. એવી અટકળો હતી કે સિદ્ધારમૈયા અઢી વર્ષ બાદ શિવકુમાર માટે મુખ્યમંત્રી પદ છોડી દેશે. જોકે, સિદ્ધારમૈયાએ પોતે આ અટકળોને નકારી કાઢતા કહ્યું હતું કે, "હું પૂરા પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યમંત્રી રહીશ."

પુત્રના નિવેદન પાછળનો રાજકીય દાવ 

પાર્ટીમાં સ્પષ્ટપણે બે જૂથો છે - એક સિદ્ધારમૈયાનું અને બીજું શિવકુમારનું. મંત્રી સતીશ જારકીહોલીને સિદ્ધારમૈયાના જૂથના વફાદાર માનવામાં આવે છે. આ સંજોગોમાં, સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રએ પોતાના પિતાના સંન્યાસનો સંકેત આપવાની સાથે જ સતીશ જારકીહોલીનું નામ આગળ ધર્યું છે, જેને રાજકીય નિષ્ણાતો એક "સુનિયોજિત ચાલ" માની રહ્યા છે.

રાજકીય વિશ્લેષકો શું કહે છે? 

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે યતીન્દ્રના આ નિવેદનનો ઉદ્દેશ્ય ડી.કે. શિવકુમાર અને તેમના સમર્થકોને સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે ભવિષ્યમાં સત્તા સિદ્ધારમૈયા જૂથ પાસે જ રહેશે. જો સિદ્ધારમૈયા પદ છોડે તો પણ, તે શિવકુમારને નહીં, પરંતુ પોતાના જૂથના જ કોઈ નેતા (જેમ કે જારકીહોલી) ને સત્તા સોંપશે. આ નિવેદનથી કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વધુ ઘેરી બની છે.