Get The App

નહીં ચાલે આનાકાની, કોરોનાથી મોત થાય તો વીમા કંપનીઓએ વળતર ચુકવવુ જ પડશે

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
નહીં ચાલે આનાકાની, કોરોનાથી મોત થાય તો વીમા કંપનીઓએ વળતર ચુકવવુ જ પડશે 1 - image

નવી દિલ્હી,  તા.6 એપ્રિલ 2020, સોમવાર

જીવન વીમા પરિષદે વીમા કંપનીઓે ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોનાના કારણે મોત થવાના મામલામાં ખાનગી અને સરકારી વીમા કંપનીઓએ વળતર આપવુ જ પડશે.

પરિષદે કહ્યુ હતુ કે, કોરોનાના મામલામાં ફોર્સ મેજરની જોગવાઈ લાગુ નહી થાય. ફોર્સ મેજરનો મતલબ થાય છે કે, કેટલાક એવા અસાધારણ સંજોગો જેમાં વીમા કંપનીઓ માટે પોલિસીની રકમ આપવી જરુરી નથી હોતી.

નહીં ચાલે આનાકાની, કોરોનાથી મોત થાય તો વીમા કંપનીઓએ વળતર ચુકવવુ જ પડશે 2 - imageકેટલાક ગ્રાહકોએ આ મામલામાં વીમા કંપનીઓ પાસેથી સફાઈ માંગી હતી.દરમિયાન વીમા કંપનીઓ કોરોનાના મોતના કેસમાં વળતર નહી ચુકવે તેવી અફવા પણ ઉડી હતી.જેના સંદર્ભમાં હવે જીવન વીમા પરિષદે આ સ્પષ્ટતા કરી છે.

સાથે સાથે પરિષદે કહ્યુ છે કે, લોકડાઉનના કારણે પોલીસ હોલ્ડર્સને તકલીફ ના પડે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. દરેક વીમા કંપની પોતાના ગ્રાહકોની સાથે છે. લોકોએ અફવાથી દોરવવાની જરુર નથી.