હિન્દુ મહાસભાના કાર્યકરોએ નાથુરામ ગોડસેનો જન્મ દિવસ ઉજવતા નવી બબાલ
નવી દિલ્હી, તા. 19. મે. 2019 રવિવાર
ભોપાલ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવીને સર્જેલા વિવાદ વચ્ચે હિન્દુ મહાસભાના કાર્યકરોએ ગ્વાલિયરમાં આજે નાથુરામ ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરતા હોબાળો મચ્યો હતો.
19મેના રોજ નાથુરામ ગોડસેનો જન્મ થયો હતો.હિન્દુ મહાસભાના સભ્યોએ ગોડસેની તસવીરની આરતી ઉતારી હતી અને એક સેમિનાનુ પણ આયોજન કર્યુ હતુ.કાર્યકરોએ મિઠાઈ વહેંચીને એકબીજાને ગોડસેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મહાસભા દ્વારા ગાયંત્રી મંત્રના જાપનુ પણ આયોજન કરાયુ હતુ.મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનુ કહેવુ છે કે, મહાસભાના કાર્યાલયમાંથી વહિવટીતંત્રે ગોડસેની મૂર્તિ હટાવી લીધી છે.જો 15 નવેમ્બર સુધીમાં મૂર્તિ પાછી નહી આપવામાં આવે તો હિન્દુ મહાસભા દ્વારા ફરી નાથુરામની મૂર્તિની સ્થાપના કરાશે.