India

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ

By GS TEAM
11 May 20262 mins read
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ


નવી દિલ્હી, તા. ૧૧

પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઉત્પન્ન થયેલ વૈશ્વિક ઓઇલ સંકટની વચ્ચે વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ ફરીથી શરૃ કરવામાં આવે, ઇંધણનો ઉપયોગ ઓછો કરવામાં આવે અને વિદેશી મુદ્રા બચાવવામાં મદદ કરવા માટે એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ખરીદવાથી પણ બચવામાં આવે.

આ અંગે લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આ ઉપદેશ નહીં પણ નિષ્ફળતાનાં પુરાવા છે. સોશિયલ મીડિયા એક્સ પર લખતા તેમણે જણાવ્યું છે કે  વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે કે સોનું ખરીદવાનું ટાળો, વિદેશ ન જાવો, પેટ્રોલનો ઉપયોગ ઘટાડો, મેટ્રોનો ઉપયોગ કરો અને ઘરેથી કામ કરો. રાહુલે જણાવ્યું છે કે આ સલાહ નથી પણ નિષ્ફળતાનાં પુરાવા છે.

રાહુલે વધુમાં જણાવ્યું છે કે ૧૨ વર્ષમાં દેશને એવા તબક્કે લાવીને ઉભું કરી દીધું છે કે પ્રજાને બતાવવું પડી રહ્યું છે કે શું ખરીદો, શું ના ખરીદો. ક્યાં જાઓ. ક્યાં ન જાઓ. દરેક વખતે જવાબદારી પ્રજા પર નાખી દેવામાં આવે છે જેથી પોતે જવાબદારીથી બચી જાય.ે કોમ્પ્રોમાઇસ્ડ પીએમ હવે દેશ ચલાવવા સક્ષમ રહ્યાં નથી.

તેલંગણાનાં સિકંદરાબાદમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું હતું કે કોરોનાનાં સમયમાં આપણે વક્ર ફ્રોમ હોમ, ઓનલાઇન મિટિંગ, વીડિયો કોન્ફરન્સ જેવી સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આજે સમયની માંગ છે કે આપણે આ સિસ્ટમનો ઉપયોગ ફરીથી શરૃ કરીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થઇ ગયું છે. આપણા સૌની જવાબદારી છે કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડીને તેને ખરીદવા પર ખર્ચ થતા વિદેશી મુદ્રાને બચાવવામાં આવે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ખરીદવામાં ન આવે.