India

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી, 3 શ્રમિકોના મૃતદેહ મળ્યાં, હજુ 15 દટાયેલા હોવાની આશંકા

By GS TEAM
16 Nov 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઓબરા સ્થિત બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં શનિવારે સાંજે એક ખાણ ધસી પડતાં મોટી અને કરુણ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 18 મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા આખી રાત ચલાવવામાં આવેલા બચાવ અભિયાન બાદ ત્રણ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 15 મજૂરો અંદર ફસાયેલા છે, જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી, 3 શ્રમિકોના મૃતદેહ મળ્યાં, હજુ 15 દટાયેલા હોવાની આશંકા

Uttar Pradesh news : ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઓબરા સ્થિત બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં શનિવારે સાંજે એક ખાણ ધસી પડતાં મોટી અને કરુણ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 20 મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા આખી રાત ચલાવવામાં આવેલા બચાવ અભિયાન બાદ ત્રણ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ 15 મજૂરો અંદર ફસાયેલા છે, જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.



કેવી રીતે બની દુર્ઘટના? 

આ દુર્ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે બિલ્લી મારકુંડી ખનન ક્ષેત્રમાં આવેલી 'ક્રિષ્ના માઇનિંગ સ્ટોન'ની ખાણમાં બની હતી. તે સમયે નવ કમ્પ્રેસર પર 20 મજૂરો કામ કરી રહ્યા હતા. ડ્રિલિંગ દરમિયાન, પહાડનો 150 ફૂટથી વધુ ઊંચો એક મોટો હિસ્સો અચાનક તૂટીને નીચે કામ કરી રહેલા મજૂરો પર પડ્યો. ઘટના સમયે બે મજૂરો તરત જ ત્યાંથી હટી જવામાં સફળ રહ્યા, પરંતુ બાકીના 18 મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા. 

બચાવ કામગીરી અને પડકારો 

ઘટનાની જાણ થતાં જ ખનન ક્ષેત્રમાં અફરા-તફરી મચી ગઈ હતી. સમાજ કલ્યાણ રાજ્યમંત્રી સંજીવ ગોંડ, જિલ્લાધિકારી (DM) બી.એન. સિંહ અને એસપી અભિષેક વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અંધારું હોવાને કારણે અને ખાણમાં પાણી ભરાયેલું હોવાથી બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓ પડી રહી હતી. કાટમાળ સુધી પહોંચવા માટે પથ્થર અને ગીટ્ટી નાખીને રસ્તો બનાવવામાં આવ્યો અને લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી. રાત્રે લગભગ સવા આઠ વાગ્યે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કાર્ય શરૂ કર્યું.

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે, મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ 

બચી ગયેલા મજૂરની વ્યથા આ દુર્ઘટનામાં બચી ગયેલા એક મજૂર છોટુ યાદવે જણાવ્યું કે તેના બે સગા ભાઈઓ, સંતોષ અને ઇન્દ્રજીત પણ કાટમાળ નીચે દટાયેલા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, એડીજી ઝોન પીયૂષ મોર્ડિયા અને આઈજી મિર્ઝાપુર આર.પી. સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. જિલ્લાધિકારી બી.એન. સિંહે આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે, જેની જવાબદારી અધિક જિલ્લાધિકારી (નાણા અને મહેસૂલ) વાગીશ સિંહને સોંપવામાં આવી છે.