Get The App

સાંસદ દાનિશ અલીને માયાવતીએ BSP પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, પત્રમાં જણાવ્યું કારણ

Updated: Dec 9th, 2023

GS TEAM


Google News
Google News
સાંસદ દાનિશ અલીને માયાવતીએ BSP પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ, પત્રમાં જણાવ્યું કારણ 1 - image


Image Source: Twitter

- દાનિશ અલીને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં સસ્પેન્ડ કર્યા

નવી દિલ્હી, તા. 09 ડિસેમ્બર 2023, શનિવાર

બહુજન સમાજ પાર્ટી (BSP)એ પોતાના સાંસદ દાનિશ અલીને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા છે. બસપા સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. બસપાએ ઘણી વખત દાનિશ અલીને સૂચના આપી હતી અને કહ્યું હતું કે પાર્ટી તેમના મુદ્દા પર તેમની સાથે છે તેમ છતાં દાનિશ અલી સતત કોંગ્રેસની સાથે ઉભા જોવા મળ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી તેમની સાથે ઉભી હતી. ત્યારે હવે તેમને સસ્પેન્ડ કરવાનું આ સૌથી મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

Tags :