India

વારાણસીમાં આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં ભીષણ આગ, પૂજારી સહિત 7 દાઝ્યાં

By GS Team
10 Aug 20252 mins read
This article was originally published on 10 Aug 2025
TukuTouch Logo
ધાર્મિક શહેર અને પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઐતિહાસિક આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારે આગ લાગવાની ઘટનાથી હોબાળો મચી ગયો હતો. આ ઘટના બ્રહ્મનલ ચોકી હેઠળના મંદિરના ગર્ભગૃહમાં બની હતી, જ્યારે અહીં હરિયાળી શ્રૃંગાર અને આરતી ચાલી રહી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વારાણસીમાં આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં ભીષણ આગ, પૂજારી સહિત 7 દાઝ્યાં

Varansi tempel Fire News : ધાર્મિક શહેર અને પીએમ મોદીના મતવિસ્તાર  વારાણસીના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઐતિહાસિક આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારે આગ લાગવાની ઘટનાથી હોબાળો મચી ગયો હતો. આ ઘટના બ્રહ્મનલ ચોકી હેઠળના મંદિરના ગર્ભગૃહમાં બની હતી, જ્યારે અહીં હરિયાળી શ્રૃંગાર અને આરતી ચાલી રહી હતી.



પૂજારી સહિત કુલ 7 લોકો દાઝ્યા 

આ આગની ઘટનામાં મંદિરના મુખ્ય પૂજારી સહિત કુલ 7 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ, આગની ઘટના શનિવારે બની હતી. મંદિરમાં હરિયાળી શ્રૃંગારનો કાર્યક્રમ હતો અને આરતી ચાલી રહી હતી.

ગર્ભગૃહમાં આ કારણે લાગી આગ 

આ દરમિયાન, આરતીનો દીવો શણગારમાં વપરાતા કપાસના સંપર્કમાં આવ્યો, જેના કારણે આગ ઝડપથી ગર્ભગૃહમાં ફેલાઈ ગઈ. આગને કારણે ત્યાં હાજર ભક્તો અને પૂજારીઓમાં ગભરાટ ફેલાયો હતો. 

એકની હાલત ગંભીર 

આ ઘટનામાં મંદિરના મુખ્ય પૂજારી સહિત ગર્ભગૃહમાં હાજર 7 લોકો દાઝી ગયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક કબીર ચૌરા વિભાગીય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ 65% બળી ગયો છે, જેની હાલત ખૂબ જ ગંભીર છે.

કોંગ્રેસ નેતાએ દુઃખ વ્યક્ત કર્યું 

કોંગ્રેસ નેતા અજય રાયે તેમના X હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું, "વારાણસીમાં મા સંકઠા જી મંદિરની બાજુમાં આવેલા શ્રી આત્મવિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આગ લાગવા અને ઘણા ભક્તોના દાઝી જવાના સમાચાર દુઃખદ છે. હું બાબા શ્રી કાશી વિશ્વનાથને અકસ્માતમાં ઘાયલ થયેલા ભક્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."