Get The App

જી-૨૦ સમિટના ડિનરમાં મમતા સામેલ થતાં કોંગ્રેસ નારાજ

શું આનાથી કેન્દ્ર સરકાર વિરુદ્ધ મમતા બેનર્જીનું વલણ નબળું નહીં પડી જાય? ઃ અધીર રંજન ચૌધરી

ડિનરમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ અપાયું ન હતું

Updated: Sep 11th, 2023

GS TEAM

Google News
Google News


કોલકાતા, તા. ૧૧જી-૨૦ સમિટના ડિનરમાં મમતા સામેલ થતાં કોંગ્રેસ નારાજ 1 - image

્ જી-૨૦ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ડિનરમાં પશ્ચિમના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની હાજરી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ આ અંગે પ્રશ્રો ઉઠાવ્યા છે. તેમણે પ્રશ્ર કર્યો છે કે શું આનાથી નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ તેમનું વલણ નબળું નહીં પડી જાય?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો તે ડિનરમાં સામેલ ન થતાં શું બગડી જવાનું હતું. આકાશ તૂટી ન પડતું. મહાભારત અશુદ્ધ ન થઇ જતું. કુરાન અશુદ્ધ ન થઇ જતું. દેશના અનેક મુખ્યપ્રધાનોએ આ ડિનરનો બહિષ્કાર કર્યો હતો.

ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને ડિનરમાં બોલાવવામાં આવ્યા ન હતાં. ડિનર વખતે મમતા યોગી અને અમિત શાહ સાથે એક જ ટેબલ પર હતાં.

કોંગ્રેસ સાંસદે જણાવ્યું હતું કે હું એટલા માટે કહી રહ્યો છું કારણકે એક વખત હું બંગાળના લોકો માટે યોગી આદિત્યનાથને મળ્યો હતો અને તે દિવસે મને ભાજપવાળો બનાવી દેવામાં આવ્યો હતો. હવે મમતા ડિનરમાં સામેલ થઇ શું સંદેશો આપવા માગે છે?

અધીર રંજનના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટીએમસીના રાજ્યસભા સાંસદ શાંતનુ સેને જણાવ્યું છે કે દરેક જાણે છે કે મમતા બેનર્જી ઇન્ડિયા દળોને સાથે લાવનારા નેતાઓ પૈકીના એક છે. કોઇ પણ તેમની પ્રતિબદ્ધતા પર પ્રશ્ર ઉઠાવી શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે ડિનરમાં ભાજપ શાસિત મુખ્યપ્રધાનો ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર, ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોેરેન, હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ સામેલ થયા હતાં.

આ ડિનર કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન  ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કોંગ્રેસે આ અંગે ટીકા કરી હતી. જેના વિરોધમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આ કાર્યક્રમમાં સામેલ થયા ન હતાં.

 

 

 

Tags :