Get The App

આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશમાં જ બનશે 928 સંરક્ષણ ઉત્પાદનો, સેના માટે 715 કરોડની થશે બચત

આગામી પાંચથી સાડા પાંચ વર્ષમાં વિદેશથી આ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે

અત્યાર સુધીમાં 2500 ઉત્પાદનોનું સ્થાનિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે

Updated: May 14th, 2023

GS TEAM

Google News
Google News
આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશમાં જ બનશે 928 સંરક્ષણ ઉત્પાદનો, સેના માટે 715 કરોડની થશે બચત 1 - image

આત્મનિર્ભર ભારત યોજના હેઠળ દેશમાં સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સંરક્ષણ વિભાગે 928 ઉત્પાદનોની યાદી બહાર પાડી છે, જેનું હવે ભારતમાં જ ઉત્પાદન થશે. આગામી પાંચથી સાડા પાંચ વર્ષમાં વિદેશથી આ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રક્ષા મંત્રાલયે આજે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ યાદી બહાર પાડવાનો ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

રક્ષા મંત્રાલયે ચોથી યાદી જાહેર કરી 

આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સંરક્ષણ મંત્રાલયે આ ચોથી યાદી બહાર પાડી છે, જેમાં વિવિધ હથિયારોમાં વપરાતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં મંત્રાલયે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 928 ઉત્પાદનોની યાદી બહાર પાડી છે, જેનું ઉત્પાદન હવે દેશમાં જ થશે. હાલમાં આ ઉત્પાદનોની આયાત પર લગભગ 715 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

 928 ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની સમયમર્યાદા નક્કી કરી

સંરક્ષણ મંત્રાલયે ડિસેમ્બર 2023 થી ડિસેમ્બર 2028 સુધી આ 928 ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની સમયમર્યાદા નક્કી કરી છે. અગાઉ સંરક્ષણ મંત્રાલયે આવી ત્રણ વધુ યાદીઓ જારી કરી હતી. આ યાદીઓ ડિસેમ્બર 2021, માર્ચ 2022 અને ઓગસ્ટ 2022માં બહાર પાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2500 ઉત્પાદનોનું સ્થાનિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને નિર્ધારિત સમયમર્યાદામાં દેશમાં 1238 ઉત્પાદનોનું ઉત્પાદન શરૂ કરવાની યોજના છે.