Get The App

કાશીમાં પણ મહાકુંભ જેવા દૃશ્યોઃ સાત અખાડાના દસ હજાર નાગા સાધુ ગદા-તલવારો લઈને નીકળ્યા

Updated: Feb 26th, 2025

GS TEAM

Google News
Google News
કાશીમાં પણ મહાકુંભ જેવા દૃશ્યોઃ સાત અખાડાના દસ હજાર નાગા સાધુ ગદા-તલવારો લઈને નીકળ્યા 1 - image


Maha Shivratri Kashi Vishwanath BaBa: મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે આજે કાશીમાં સાધુ-મહાત્માઓ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે 7 શૈવ અખાડાના 10,000થી વધુ નાગા સાધુઓ ગદા, શંખ, તલવાર સાથે શિવ સવારી કરતાં વિશ્વનાથ બાબાના દર્શન કરવા કાશી પહોંચ્યા છે. શંખનાદ, હર હર મહાદેવના નાદ સાથે કાશી-વારાણસી ગુંજી ઉઠ્યા છે. મહાકુંભ જેવી જ ભાવિક ભક્તોની ભીડ કાશીમાં ઉમટી પડી છે.


સવારે નવ વાગ્યા સુધીમાં જ 2.37 લાખ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા હતાં. મહા શિવરાત્રિ પર્વ પર કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિ મહારાજે કહ્યું કે, મહા શિવરાત્રિના પર્વ પર તમામ પાંચ અખાડાએ મહાદેવની પૂજા-આરાધના કરી છે. મહાકુંભની પૂર્ણાહૂતિ માટે અભિષેક પણ કર્યો છે.

આ પણ વાંચોઃ માતા ભદ્રકાળીની નગરયાત્રા રિવરફ્રન્ટથી નીકળી ભદ્ર દરવાજા પહોંચી, હવે અહીંથી મંદિરે પરત થશે


કાશીમાં શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા

કાશી વિશ્વનાથ ધામમાં મહા શિવરાત્રિ નિમિત્તે ઉમટી પડેલી ભીડને અગવડ ન પડે તેમજ અવ્યવસ્થા ન સર્જાય તે હેતુ સાથે સત્તાધીશો અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.  નાગા સાધુઓ માટે બેરિકેડ ઊભા કરવામાં આવ્યા હતા. લાખો ભક્તો રાતથી જ રસ્તાના કિનારે  નાગા સાધુઓના આશીર્વાદ લેવા ઊભા છે. કતારમાં સૌ ભક્તો શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા અને ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે. 

કાશીમાં પણ મહાકુંભ જેવા દૃશ્યોઃ સાત અખાડાના દસ હજાર નાગા સાધુ ગદા-તલવારો લઈને નીકળ્યા 2 - image

વિશ્વનાથ ધામ પર મંગળા આરતી બાદ દર્શન-પૂજાનો સિલસિલો જારી છે. મંદિરમાં છ દરવાજા પરથી એન્ટ્રી થઈ રહી છે. ઘણાં નાગા સાધુઓ ઘોડાગાડી, વાહનોમાં સવાર થઈને દર્શન કરવા પહોંચ્યા છે. તેમના પર ભક્તોએ પુષ્પ વર્ષા કરી છે. 

કાશીમાં પણ મહાકુંભ જેવા દૃશ્યોઃ સાત અખાડાના દસ હજાર નાગા સાધુ ગદા-તલવારો લઈને નીકળ્યા 3 - image

Tags :