આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ
Madhavi Puri Buch SEBI News : સેબીના પૂર્વ ચેરમેન માધબી પુરી બુચ સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરીને લોકપાલે તેમને ક્લિનચીટ આપી દીધી છે.
જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતા ધરાવતી છ સભ્યોની બનેલી લોકપાલ ખંડપીઠે જણાવ્યું છે કે ‘માધબી પુરી બુચ પરના આરોપો ફક્ત અંદાજ આધારિત છે, જેના કોઇ મજબૂત પુરાવા નથી. તેમની સામેની ફરિયાદ હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટને આધારે કરાઈ હતી, પરંતુ કાર્યવાહી કરવા માટે આ રિપોર્ટ અપૂરતો છે. તેમની સામે તપાસનો આદેશ આપવા માટે કોઈ જ પુરાવા નથી.
આ કેસની વિગત એવી છે કે, હિંડનબર્ગ રિપોર્ટમાં પૂર્વ સેબી ચેરમેન પર અદાણી જૂથ સાથે ગેરકાયદે આર્થિક જોડાણો હોવાનું કહેવાયું હતું. તેમના પર આરોપ હતો કે, સેબીમાં માધબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી 2025 સુધી હતો. આ દરમિયાન તેમણે આઈપીઓથી લઈને સ્ટોક અને F&Oને લગતા અનેક નિયમો લાગુ કર્યા હતા. એ
આ ગાળામાં અદાણી જૂથ પર અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. ત્યાર પછી કંપનીના શેરમાં કડાકો બોલી ગયો હતો. આ ઘટનાના થોડા સમયમાં હિંડનબર્ગે માધબી પુરી બુચ પર વિરુદ્ધ એક રિપોર્ટ જારેર કર્યો હતો, જેમાં તેમના પર ભ્રષ્ટાચાર અને અદાણી જૂથ સાથે ગેરકાયદે આર્થિક જોડાણના આરોપ લગાવાયા હતા. 10 ઓગસ્ટ 2024ના રોજ હિન્ડનબર્ગે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, અદાણી જૂથના વિદેશી ફંડમાં સેબી ચેરમેન માધવી પુરી બુચ અને તેમના પતિનો હિસ્સો છે. સેબી અને અદાણી જૂથ વચ્ચે ગેરકાયદે આર્થિક જોડાણો છે.
આ આરોપો માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે ફગાવી દીધા હતા. નોંધનીય છે કે, માધબી પુરી બુચ 2017માં સેબીમાં જોડાયા હતા અને માર્ચ 2022માં તેઓ સેબીના ચેરમેન બન્યા હતા. હાલ તેઓ આ હોદ્દા પરથી નિવૃત્ત થઈ ગયા છે અને હાલ આ સ્થાને તુહિન કાંત પાંડે છે.