Get The App

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
 Lalbaugcha Raja

First-Ever Delay in Lalbaugcha Raja Immersion as Idol Stuck in Sea for Hours : અનેક વખત પ્રયાસ બાદ મુંબઈના લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન સંપન્ન થયું છે. સમુદ્રમાં ભરતીના કારણે આવી રહેલી અડચણો બાદ ચંદ્રગ્રહણ થાય તે પહેલા ગિરગાંવ ચોપાટીમાં મધદરિયે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. નોંધનીય છે કે લાલ બાગ ચા રાજાની મૂર્તિ સવારે જ દરિયા કિનારે પહોંચી ગઈ હતી પરંતુ પાણીનું સ્તર વધી જવાના કારણે મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં સમસ્યા થઈ રહી હતી. 

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો 2 - image

ઈતિહાસમાં પહેલીવાર વિસર્જનમાં આટલો વિલંબ

મુંબઈના લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં અડચણ આવી છે. ગઇકાલે ( 6 સપ્ટેમ્બર ) લાલ બાગ ચા રાજાની પંડાલથી રવાના થઈ હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ મૂર્તિ ગિરગાંવ ચોપાટી પહોંચી હતી. જોકે સમુદ્રમાં ભરતીના કારણે પાણીનું સ્તર વધી ગયું હતું. લાલ બાગ ચા રાજાની મૂર્તિને સમુદ્રમાં લઈ જવા માટે એક રાફ્ટ બનાવવામાં આવી છે, દર વર્ષે મૂર્તિને આ રાફ્ટમાં વિરાજમાન કરવામાં આવે છે. જોકે પાણીના કારણે મૂર્તિને રાફ્ટ પર વિરાજમાન કરવામાં અડચણ આવી હતી. 

સમુદ્રમાં ભરતીના વિઘ્ન બાદ લાલ બાગ ચા રાજાની મૂર્તિનું વિસર્જન, ઈતિહાસમાં પહેલીવાર આટલો વિલંબ થયો 3 - image

ઊંચી લહેરોના કારણે ગણપતિ દાદાની મૂર્તિ દરિયામાં અડધી દરિયામાં હોય તેવી જ સ્થિતિમાં કલાકો સુધી રહી હતી.