Get The App

સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા!

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા! 1 - image


MP Khandwa Tragedy: મધ્ય પ્રદેશમાં સરકારી સહાયના નામે ભાજપ સરકારે પીડિત પરિવારો સાથે ક્રૂર મજાક કરી છે. ખંડવા જિલ્લામાં પાડલ ફાટામાં દુર્ઘટનાના પીડિતોના પરિવારોને બંધ કવર સોંપતી વખતે મુખ્યમંત્રી મોહન યાદવે ફોટો પડાવ્યો હતો, જ્યારે બીજા દિવસે મંત્રી વિજય શાહે ICUમાં ઘાયલોને બંધ કવર આપ્યું હતું. પરંતુ હવે આ બંધ કવરમાં શું હતું તે જાણીને તમને નવાઈ લાગશે.

દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી

વાસ્તવમાં 2 ઓક્ટોબરના રોજ સાંજે ખંડવા જિલ્લાના પંધાના નજીક એક તળાવમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 11 લોકોના મોત થઈ ગયા હતા. તેમાં મોટાભાગે નાની બાળકીઓ અને કેટલાક યુવાનો હતા.

મૃતકોના પરિવારજનોને 4-4 લાખની આર્થિક સહાયનો આદેશ

ઘટના બાદ તરત જ મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનોને 4-4 લાખની આર્થિક સહાય આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજારની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 1 લાખ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી હતી. આમ, મૃતકોના પરિવારજનોને કુલ 6 લાખ રૂપિયા અને ઘાયલોને દોઢ લાખ રૂપિયા મળવાના હતા.

 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા

હવે જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવ પાડલ ફાટા પહોંચ્યા અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરીને સાંત્વના આપી, ત્યારે તેમણે તેમને બંધ કવર આપ્યા. બધાને લાગ્યું કે, તેમાં જાહેર કરાયેલી 4 લાખ રૂપિયાની રકમના ચેક હશે. પરંતુ જ્યારે પરિવારના સભ્યોએ ઘરે જઈને કવર ખોલ્યા, ત્યારે તેઓ હેરાન રહી ગયા. કારણ કે, કવરમાં ચેક નહીં પરંતુ માત્ર SDM પંધાનાનો રકમ સ્વીકૃતિ પત્ર હતો.

ત્યારબાદ શનિવારે સવારે બીજી એક ઘટના બની જ્યારે રાજ્યના મંત્રી વિજય ખંડવાના જિલ્લા હોસ્પિટલમાં પાડલ ફાટાના ઘાયલોને મળવા માટે ICU પહોંચ્યા. મંત્રી એક બંધ કવરમાં ચેક લઈને પહોંચ્યા અને તે ચેક આપતા ફોટો પડાવ્યો હતો. પ્રેસ નોટ પણ જારી કરવામાં આવી. એવું લાગ્યું કે તેઓ ઘાયલોને 1.5 લાખ રૂપિયાનો ચેક આપવા આવ્યા હશે.

આ પણ વાંચો: નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની

સરકારી પ્રેસનોટમાં સહાયની રકમ અને કવરનો ઉલ્લેખ હતો, પરંતુ રકમની કોઈ જાણકારી નહોતી. જ્યારે ઘાયલોએ કવર ખોલ્યું ત્યારે તેમાં માત્ર 5,000 રૂપિયાનો ચેક હતો, જે કોઈપણ જાહેરાતનો ભાગ નહોતો.

સરકારી સૂત્રોનું કહેવું છે કે આ ચેક તાત્કાલિક સહાયના નામે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ખંડવા શાખામાંથી બનાવવામાં આવ્યા હતા.

પરંતુ અહીં પણ ગડબડ થઈ ગઈ. 6 ઘાયલો દાખલ હતા, પરંતુ ચેક માત્ર 4 લોકોને જ મળ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે ચેક તેમના જરૂરી ખર્ચાઓને પહોંચી વળવા માટે તાત્કાલિક સહાય માટે હતા. મોટી રકમ સીધી તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

Tags :