દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kerala Guruvayur Temple: કેરળના ત્રિશૂર સ્થિત પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં નિયમોના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શ્રી કૃષ્ણ મંદિરના તળાવમાં એક બિન-હિન્દુ મહિલા વ્લોગરે પોતાના પગ ધોતી હોય તેવો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેના કારણે તળાવમાં શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી રહી છે.
ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ
જાણવા મળ્યું છે કે બિગ બોસના પૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના તળાવમાં પોતાના પગ ધોતી હોય તેવો વીડિયો બનાવ્યો હતો. આ પછી તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરના તળાવમાં વીડિયો બનાવવાની મનાઈ છે. સાથે જ, બિન-હિન્દુઓને પણ તળાવમાં પ્રવેશવાની મંજૂરી નથી.
જાસ્મીન જાફરે મંદિરના તળાવમાં પગ ધોયા
ગુરુવાયુર દેવસ્વોમ (મંદિર વ્યવસ્થાપન સમિતિ)એ જણાવ્યું કે જાસ્મીન જાફરે તળાવમાં આ પ્રકારનું કાર્ય કરીને મંદિરની પરંપરાઓનો ભંગ કર્યો અને તળાવને અપવિત્ર કર્યું. આ કારણે સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભક્તો માટે મંદિરના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. ભક્તોને શુદ્ધિકરણ વિધિ પૂર્ણ થયા પછી જ નાલમ્બલમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
છ દિવસ સુધી પૂજા-અનુષ્ઠાન
અધિકારીઓએ જણાવ્યું કે શુદ્ધિકરણ વિધિ દરમિયાન છ દિવસ સુધી પૂજા ચાલશે, જેમાં 18 પૂજાઓ અને 18 શીવેલી (મંદિરની પરિક્રમા વિધિ) સામેલ છે. શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન પર લગાવવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: BIG NEWS: જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત
હાઈકોર્ટના નિર્દેશોનો ભંગ
દેવસ્વોમ પ્રશાસક ઓબી અરુણ કુમારે આ મામલે મંદિર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેમનો આરોપ છે કે હાઈકોર્ટે મંદિરના પ્રતિબંધિત વિસ્તારોમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ જાસ્મીને મંદિરના તળાવની પવિત્રતાનો ભંગ કર્યો છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે કોર્ટના નિર્દેશ મુજબ, કેસ નોંધવામાં આવશે.
કૃષ્ણ મંદિરના તળાવમાં પ્રવેશ પર વિવાદ
જાણવા મળ્યું છે કે જાસ્મીન જાફરે આ વીડિયો છ દિવસ પહેલા બનાવ્યો હતો, જોકે તેમણે પછીથી તેને સોશિયલ મીડિયા પરથી હટાવી લીધો હતો. તેમણે આ માટે માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે તેમને આ પ્રતિબંધો વિશે જાણ ન હતી.








