India

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો

By GS TEAM
7 Aug 20252 mins read
TukuTouch Logo
કોલકતા યુનિવર્સિટી(CU)ના પ્રાણી વિજ્ઞાન વિભાગના જિનેટિક્સ રિસર્ચ યુનિટ અને કોલકાતા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિપ્રોડક્ટિવ મેડિસિન (IRM) દ્વારા કરવામાં આવેલા સંયુક્ત રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'લાંબા સમય સુધી પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન રાખવાથી અને ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે અને નપુંસકતાનું જોખમ પણ વધી જાય છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો

Research: કોલકતા યુનિવર્સિટી(CU)ના પ્રાણી વિજ્ઞાન વિભાગના જિનેટિક્સ રિસર્ચ યુનિટ અને કોલકાતા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિપ્રોડક્ટિવ મેડિસિન (IRM) દ્વારા કરવામાં આવેલા સંયુક્ત રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, 'લાંબા સમય સુધી પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન રાખવાથી અને ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે અને નપુંસકતાનું જોખમ પણ વધી જાય છે.'

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ખોળામાં લેપટોપ અથવા પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન રાખવાથી ઉચ્ચ-તીવ્રતાવાળા ઈલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રો ઉત્પન્ન થાય છે. આવા ક્ષેત્રોમાં અંડકોષના લાંબા સમય સુધી સંપર્ક અને સંકળાયેલ ગરમી અંડકોષની અંદરના નાજુક પેશીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે, જેનાથી શુક્રાણુ ઉત્પન્ન કરતાં કોષોને નુકસાન પહોંચે છે.

ચોક્કસ જીન પરિવર્તન ધરાવતી વ્યક્તિઓમાં આ નુકસાન વધુ ગંભીર જણાય છે અને ખાસ કરીને યુવાનો માટે ચિંતાજનક છે, જેઓ આવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો સૌથી વધુ ઉપયોગ કરે છે. જે પુરુષોના સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું તેઓ 20-40 વર્ષની ઉંમરના હતા.

સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ

રિસર્ચ ટીમે તેમની જીવનશૈલી, આહાર, કાર્યસ્થળનું જોખમ અને કોઈપણ વ્યસનની લતનો અભ્યાસ કર્યો. પ્રો. ઘોષે કહ્યું કે, આપણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.

આ રિસર્ચ 2019માં પ્રોફેસર સુજય ઘોષ(કોલકતા યુનિવર્સિટી)ના નેતૃત્વ હેઠળ શરુ કરવામાં આવ્યુ હતું અને તેમાં ડૉ. રત્ના ચેટર્જી (IRM), ડૉ. સમુદ્ર પાલ (કોલકતા યુનિવર્સિટી), ડૉ. પર્ણબ પાલધી (IRM) અને ડૉ. સૌરવ દત્તા (કોલકતા યુનિવર્સિટી)એ સહયોગ કર્યો હતો.

પુરુષ વંધ્યત્વની સારવાર માટે IRMની મુલાકાત લેતા લોકોને રિસર્ચમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પુરુષ વંધ્યત્વના કિસ્સાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું

રિસર્ચમાં ખાસ કરીને અજાણ્યા કારણોસર થતા પુરુષ વંધ્યત્વના કિસ્સાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખાસ કરીને એઝોસ્પર્મિયા (વીર્યમાં શુક્રાણુની ગેરહાજરી) અથવા ઓલિગોઝોસ્પર્મિયા (શુક્રાણુઓની ઓછી સંખ્યા) વાળા કિસ્સા પર.

રિસર્ચમાં 1200 દર્દીઓ સામેલ

રિસર્ચનું નેતૃત્વ કરનારા ડૉ. ઘોષે જણાવ્યું કે, આ રિસર્ચમાં એવા દર્દીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા જેમનામાં આનુવંશિક નિદાન પરીક્ષણોમાં જાણીતા ચેપી રોગોની જાણકારી મળી હતી. તેમણે કહ્યું કે, ઉપરોક્ત દર્દીઓ ઉપરાંત રિસર્ચમાં કુલ 1,200 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા.