Googleએ કમલા દાસને Doodle બનાવીને અનોખી રીતે યાદ કર્યા
- કમલાદાસની 'MY STORY' આત્મકથા આજના દિવસે 1973માં પ્રકાશિત થઈ હતી
- સુરૈયા અંગ્રેજી અને મલયાલમ ભાષાના મશહૂર લેખિકા રહ્યા
નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2018 ગુરુવાર
ગુગલે અંગ્રેજી અને મલયાલમના મશહૂર લેખિકા કમલા દાસને પોતાના ડૂડલ દ્વારા યાદ કર્યા છે. કમલાદાસની આત્મકથા અને બહુવિવાદોમાં રહેલુ પુસ્તક MY STORY આજના દિવસે 1973માં પ્રકાશિત થયુ હતુ.
તેમને બાળપણથી જ કવિતાઓ લખવાનું શરૂ કરી દીધુ હતુ. તેમની આત્મકથા માઈ સ્ટોરી પર ઘણો વિવાદ પણ થયો હતો અને તેને ઘણી વાંચવામાં પણ આવી.
તેમના વિશે કહેવાય છે કે તેમના પરિવારના લોકો સૂઈ જાય એટલે તેઓ રસોડામાં બેસીને આખી રાત કવિતાઓ લખતા રહેતા હતા અને સવાર સુધી આ કાર્યક્રમ ચાલુ રહેતો હતો.
1. કમલા દાસનો જન્મ 31 માર્ચ 1934એ ત્રિચૂર જિલ્લાના બ્રાહ્મણ નાયર પરિવારમાં થયો હતો. તેમના માતા બાલમણિ અમ્મા ઘણા સારા કવયિત્રી હતા. આજ કારણ છે કે કમલા દાસે પણ બાળપણથી જ કવિતાઓ લખવાનું શરૂ કરી દીધુ હતુ.
તેમના પિતા કલકત્તામાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેમની ઉંમરના બીજા બાળકો લખતા-વાંચતા, ખાતા-પીતા, મોજ-મસ્તી કરતા પરંતુ ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ હોવા છતાં તેમને ચારદિવાલોની અંદર જ રહેવુ પડતુ.
2. 15 વર્ષની ઘણી નાની ઉંમરમાં કમલા દાસના લગ્ન કલકત્તામાં માધવ દાસ સાથે થઈ ગયા હતા. તેમના લગ્ન 15 વર્ષ મોટા વ્યક્તિ સાથે થયા હતા. તેમના પતિ રિઝર્વ બેન્કના મોટા અધિકારી હતા. 16 વર્ષની નાની ઉંમરમાં તે માતા બન્યા હતા.
3. કમલા દાસ બાળપણથી જ કવિતાઓ લખતા હતા પરંતુ લગ્ન બાદ તેમને લખવા માટે ત્યાં સુધી જાગવુ પડતુ જ્યાં સુધી સમગ્ર પરિવાર સૂઈ ના જાય. તે સવાર સુધી લખતા.
4. મલયાલમમાં તેઓ માધવી કુટ્ટીના નામથી લખતા હતા, જ્યારે અંગ્રેજીમાં તેમણે કમલા દાસના નામથી લખ્યું. માધવી કુટ્ટી તેમની નાનીનું નામ હતુ.
5. કમલા દાસે 1984માં એક રાજનૈતિક પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી, પરંતુ તેમના જામીન જપ્ત થઈ ગયા. જે બાદ તેઓ રાજકારણમાંથી દૂર થઈ ગયા.
6. કમલા દાસે 1999માં અચાનક ધર્માંતરણ કરી દીધુ અને તેમના નામની આગળ સુરૈયા જોડાઈ ગયુ. તેમણે પડદા પ્રથાનો વિરોધ કરતા આઝાદીની માંગણી કરી અને આ જ કારણથી કટ્ટર મુસ્લિમો સાથે તેમનો વિરોધ રહ્યો.
7. કમલા દાસ તે સમયે વિવાદોમાં આવ્યા જ્યારે તેમણે પોતાની આત્મકથા માઈ સ્ટોરીને પ્રકાશિત કરી. આ પુસ્તક એટલુ વિવાદાસ્પદ રહ્યું અને એટલુ વંચાયુ કે તેને 15 વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો. આ પુસ્તકના કારણે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી.
8. કમલા દાસના અંગ્રેજીમાં ધ સિરેન્સ, સમર ઈન કલકત્તા, ધ ડિસેડેન્ટ્સ, ધ ઓલ્ડી હાઉસ એન્ડ અધર પોએમ્સ, અલ્ફાબેટ્સ ઓફ લસ્ટ, ધ અન્નામલાઈ પોએમ્સલ અને પદ્માવતી ધ હારલૉટ એન્ડ અધર સ્ટોરિસ સહિત 12 પુસ્તકો લખ્યા. મલયાલમમાં પક્ષીયિદુ માનમ, નરિચીરૂકલ પારક્કુમ્બોલ, પલાયન, નેપાયસમ, ચંદના મરંગલમ અને થાનુપ્પૂ સહિત 15 પુસ્તકો પ્રકાશિત થયા છે.
9. કમલા દાસને વર્ષ 1984માં નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા. આ સિવાય તેમને એવોર્ડ ઓફ એશિયન પેન એન્થોલોજી ( 1964), કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર (1969), સાહિત્ય અકાદમી પુરસ્કાર ( 1985), એશિયન પોએટ્રી પુરસ્કાર (1998), કેન્ટ પુરસ્કાર ( 1999), એશિયન વર્લ્ડસ પુરસ્કાર ( 2000), વયલૉર પુરસ્કાર (2001), મુટ્ટાથુ વરકે એવોર્ડ અને એજ્હુથાચન પુરસ્કાર (2009) જેવા કેટલાય એવોર્ડ પુરસ્કાર પણ મળ્યા.
10. કમલા નાથનું અવસાન 75 વર્ષની ઉંમરમાં 31 મે 2009એ થયુ હતુ.