Get The App

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ

Updated: Jun 9th, 2020

GS TEAM

Google News
Google News
જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ 1 - image


ભોપાલ, તા. 09 જૂન 2020 મંગળવાર

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના થઈ ગયો છે. બંનેને દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સિંધિયાને ગળામાં દુખાવો અને તાવની તકલીફ થઈ હતી જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો.

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને ચાર દિવસ પહેલા મેક્સ સાકેતમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા પરંતુ તેમની માતામાં કોઈ લક્ષણ નહોતા. આજે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બંનેની સારવાર ચાલી રહી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને થયો કોરોના, હોસ્પિટલમાં કરાયા દાખલ 2 - image

કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા સિંધિયા

તાજેતરમાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ. તેઓ કોંગ્રેસના મહાસચિવ હતા પરંતુ કોંગ્રેસનો હાથ છોડીને તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાની ટિકિટ પણ આપી છે.

Tags :