Get The App

માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનવણી કરી રહેલા ન્યાયાધીશની ટ્રાન્સફર, ટૂંક સમયમાં થવાનો હતો નિર્ણય

Updated: Apr 6th, 2025

GS TEAM

Google News
Google News
માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનવણી કરી રહેલા ન્યાયાધીશની ટ્રાન્સફર, ટૂંક સમયમાં થવાનો હતો નિર્ણય 1 - image

Malegaon Blast: મુંબઈ કોર્ટના વિશેષ NIA જજ એકે લાહોટી 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી કરી રહ્યા હતા. હવે તેમને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા જિલ્લા ન્યાયાધીશોની સામાન્ય ટ્રાન્સફર યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. એટલે કે હવે તેમની બદલી થઈ જશે. તેમને મુંબઈથી નાસિક મોકલવામાં આવ્યા છે અને આ આદેશ 9 જૂનથી અમલમાં આવશે.

આ પણ વાંચો: PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

માલેગાંવ કેસમાં દલીલો લગભગ પૂરી થઈ ગઈ છે

માલેગાંવ વિસ્ફોટના પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને જજ લાહોટીને મુંબઈમાં જ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, માલેગાંવ કેસમાં દલીલો લગભગ પૂરી થઈ ગઈ છે અને હવે કેસનો નિર્ણય લેવા માટે સમયનું દબાણ છે.

વકીલે તેમના પત્રમાં એમ પણ કહ્યું હતું કે, જજ લાહોટીનો 2-3 વર્ષનો કાર્યકાળ જૂન 2022 માં પૂરો થઈ રહ્યો છે અને હવે પીડિત પરિવારો તેમના સંભવિત ટ્રાન્સફરની શક્યતાને કારણે ચિંતિત છે. તેમને ડર છે કે ચુકાદો સંભળાવ્યા વિના  તેમની બદલી થઈ શકે છે.

માલેગાંવ વિસ્ફોટમાં છ લોકો માર્યા ગયા હતા

2008ના માલેગાંવ વિસ્ફોટમાં છ લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસ શરૂઆતમાં મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં 2011 માં એનઆઈએને સોંપવામાં આવી હતી. હવે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું જજ લાહોટી ઉનાળાની રજાઓ પહેલા માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપી શકશે. 

આ પણ વાંચો: ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે

29 સપ્ટેમ્બર, 2008 ના રોજ, ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ મોટરસાઇકલ સાથે જોડાયેલા વિસ્ફોટક ઉપકરણને કારણે થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ભાજપ નેતા પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય પાંચ લોકો સામે કેસ ચાલી રહ્યો છે. આરોપીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવી રહ્યો છે.