India

72 વર્ષના 'બાપુજી' 27 વર્ષની લાડીને પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં કર્યા લગ્ન

By GS TEAM
19 Sep 20252 mins read
TukuTouch Logo
રાજસ્થાનનું જોધપુર ફરી એકવાર વિદેશી મહેમાનોના લગ્નનું સાક્ષી બન્યું છે. આ વખતે અહીં યુક્રેનના નિવાસી એક કપલે ભારતીય પરંપરાઓથી પ્રેરિત હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલ છેલ્લા 3-4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યું હતું, પરંતુ ભારતીય પરંપરાઓથી પ્રેરિત થઈને તેમણે પરંપરાગત લગ્ન કરવાનું નક્કી કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

72 વર્ષના 'બાપુજી' 27 વર્ષની લાડીને પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં કર્યા લગ્ન

Ukraine Couple's Wedding In Jodhpur: રાજસ્થાનનું જોધપુર ફરી એકવાર વિદેશી મહેમાનોના લગ્નનું સાક્ષી બન્યું છે. આ વખતે અહીં યુક્રેનના નિવાસી એક કપલે ભારતીય પરંપરાઓથી પ્રેરિત હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલ છેલ્લા 3-4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યું હતું, પરંતુ ભારતીય પરંપરાઓથી પ્રેરિત થઈને તેમણે પરંપરાગત લગ્ન કરવાનું નક્કી કર્યું.

72 વર્ષના 'બાપુજી' 27 વર્ષની 'લાડી'ને પરણ્યા

વાસ્તવમાં 72 વર્ષીય વરરાજા સ્ટાનિસ્લાવ અને 27 વર્ષીય દુલ્હન અનહેલીના પહેલી વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતીય રીતિ-રિવાજો અને પરંપરાઓથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જયપુર, ઉદયપુર અને જોધપુરમાંથી લગ્ન કરવા માટે સૂર્યનગરી જોધપુરની પસંદગી કરી. 

આ કપલ ભારતીય રીતિ-રિવાજોથી ખૂબ જ પ્રભાવિત છે

આ કપલના લગ્નને કોઓર્ડિનેટ કરનારી કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું કે, દુલ્હન અનહેલીના ભારતીય રીતિ-રિવાજોથી ખૂબ જ પ્રભાવિત છે, તેથી તેણે દરેક પરંપરાનું પાલન કર્યું.

બુધવારે જોધપુર પહોંચ્યા પછી લગ્નની વિધિઓ શરૂ થઈ. વરરાજા શાહી પોશાક, પાઘડી અને કલગી લઈને ઘોડી પર સવાર થઈને જાન લઈને આવ્યો. શહેરના ખાસ બાગમાં પરંપરાગત રીતે વરરાજાનું તિલક કરવામાં આવ્યું. 

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કપલે સાત ફેરા લીધા

ત્યારબાદ વરમાળા વિધિ થઈ અને પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કપલે સાત ફેરા લઈને લગ્નની વિધિ પૂર્ણ કરી. આ દરમિયાન વરરાજાએ દુલ્હનને મંગળસૂત્ર પહેરાવ્યું અને સિંદૂરથી માંગ પણ ભરી. આ કપલે ભારતીય પોશાક પહેરીને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી અને સંગીત પર ડાન્સ પણ કર્યો. 

જોધપુર વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

જોધપુર વિદેશી પ્રવાસીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીંની સ્થાપત્ય કલા, મેહરાનગઢ કિલ્લો અને રંગીન બજાર મુલાકાતીઓને મોહિત કરે છે. આ જ કારણ છે કે ઘણા વિદેશીઓ અહીં લગ્ન કરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: 'પાકિસ્તાનમાં ઘર જેવો અનુભવ થાય છે', કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનો વધુ એક બફાટ

આ પહેલા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પણ ઉમ્મેદ ભવનમાં લગ્ન કરીને જોધપુરને ચર્ચામાં લાવી દીધુ હતું. કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું કે યુક્રેનથી આવેલા આ કપલે ભારતીય લગ્ન પરંપરાઓને ખૂબ જ આત્મીયતા સાથે અપનાવી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમની ઊંડી આસ્થા દેખાઈ.