'જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે', કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu Kashmir News: કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ શનિવારે કહ્યું કે, જમ્મૂ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો પરત મળી જશે. કેન્દ્રીય મંત્રીએ કોઈ સમય-મર્યાદા નથી બતાવી પરંતુ તેમણે કહ્યું કે, 'મને વિશ્વાસ છે કે આ ટૂંક સમયમાં જ થશે.'
આઠવલેએ પત્રકારોને કહ્યું કે, 'મને લાગે છે કે જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ પોતાનો રાજ્યનો દરજ્જો પરત મળી જવો જોઈએ, અને તેની માગ પણ થઈ રહી છીએ. ગત વર્ષ જ્યારે જમ્મુ કાશ્મીરમા વિધાનસભા ચૂંટણી થવાની હતી ત્યારે 60 ટકાથી વધુ મતદાન થયું હતું, જે દેશના કેટલાક અન્ય રાજ્યોથી વધુ હતું.'
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'હું જમ્મુ કાશ્મીરના લોકોનો તેના માટે આભાર માનું છું કારણ કે તેઓ ડરની સામે ઝૂક્યા નહીં. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કલમ 370 હટાવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો પરત મળી જશે અને મને લાગે છે કે ભારત સરકાર ભવિષ્યમાં જલ્દી જ આ નિર્ણય લઈ શકે છે.'
જોકે, તેમને પૂછવામાં આવ્યું કે કેટલો સમય લાગી શકે છે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'હું તમને એ ન જણાવી શકું કે ક્યારે, પરંતુ મારું માનવું છે કે આ ટૂંક સમયમાં જ થશે.'









