Get The App

જમ્મુ-કાશ્મીર: બડગામમાં ભાજપ કાર્યકર્તા પર આતંકી હુમલો, પેટમાં વાગી ગોળી

Updated: Aug 9th, 2020

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીર: બડગામમાં ભાજપ કાર્યકર્તા પર આતંકી હુમલો, પેટમાં વાગી ગોળી 1 - image


શ્રીનગર, તા. 09 ઓગસ્ટ 2020 રવિવાર

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના એક કાર્યકર્તા પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો. રવિવારે થયેલા આ હુમલામાં ભાજપ કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે ઘણા દિવસોથી કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ ભાજપ કાર્યકર્તા પર ફાયરીંગ કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો અનુસાર આતંકવાદીઓએ ભાજપ કાર્યકર્તા અબ્દુલ હમીદ નજર પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત કાર્યકર્તા મેહિદપોરાના રહેવાસી છે. જેમના પિતાનુ નામ જમાલ નજર છે.

સૂત્રો અનુસાર આતંકવાદીઓએ નજર પર રેલવે સ્ટેશન નજીક ફાયરીંગ ત્યારે કર્યુ જ્યારે તેઓ મોર્નિંગ વૉક પર જતા હતા. ફાયરીંગમાં ભાજપ કાર્યકર્તા ઈજાગ્રસ્ત થઈ ગયા છે. કાર્યકર્તાને પેટમાં ગોળી વાગી છે. ઘટના બાદ તરત જ અબ્દુલ હમીદ નજરને એસએમએચએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

કાશ્મીરમાં કેટલાક ભાજપ સરપંચો પર આતંકી હુમલાના સમાચાર સામે આવતા રહ્યા છે. 6 ઓગસ્ટે કુલગામ જિલ્લાના કાજીગુંડ બ્લોકના વેસ્સુ ગામમાં ભાજપ સરપંચ સજાદ અહેમદ પર આતંકીઓએ હુમલો કરી દીધો હતો. સરપંચને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાઓને જોતા થયેલા કેટલાક ભાજપ નેતા પાર્ટી અને પદથી રાજીનામુ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં ભાજપના ચાર નેતાઓએ રાજીનામુ આપી દીધુ છે. કુલગામના દેવસરથી ભાજપ સરપંચે ત્રણ દિવસ પહેલા પોતાનુ રાજીનામુ આપી દીધુ. અગાઉ ભાજપ નેતાઓ સબજાર અહેમદ પાડર, નિસાર અહેમદ વાની અને આશિક હુસૈન પાલાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.

ભાજપ નેતાઓના રાજીનામાનુ કારણ કુલગામમાં સરપંચો પર થયેલા જીવલેણ હુમલાને જણાવવામાં આવી રહ્યુ છે. સબજાર અહેમદ પાડર, નિસાર અહેમદ વાની અને આશિક હુસૈન પાલાએ અંગત કારણોથી ભાજપ છોડી દીધુ અને એલાન કર્યુ કે તેમને હવે ભાજપ સાથે કોઈ સંબંધ નથી.


Tags :