'એબોટાબાદમાં કોણ મળ્યું હતું આખું વિશ્વ જાણે છે', અમેરિકા-પાકિસ્તાનની મૈત્રી મુદ્દે ભારતનો કટાક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jaishankar’s Strong Reply to US on Pakistan Ties : ટેરિફના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો મધુર થઈ રહ્યા છે. આટલું જ નહીં ટ્રમ્પે થોડા દિવસ અગાઉ ભારતને ટોણો માર્યો હતો કે એક સમય એવો આવશે જ્યારે ભારત પાકિસ્તાન પાસેથી ઓઈલ ખરીદશે. એવામાં આ મુદ્દે ભારતના વિદેશમંત્રી જયશંકરે અમેરિકાને જવાબ આપ્યો છે.
પાકિસ્તાનમાં કોણ મળ્યું હતું તે સૌને ખબર: જયશંકર
પાકિસ્તાન સાથે મૈત્રી વધારી રહેલા અમેરિકાને જયશંકરે ઓસામા બિન લાદેનની યાદ અપાવી. એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું, કે 'અમેરિકા અને પાકિસ્તાનનો એકબીજા સાથેનો ઈતિહાસ રહ્યો છે અને ઈતિહાસને નજરઅંદાજ કરવાનો પણ ઈતિહાસ છે. અમે આ બધુ પહેલીવાર નથી જોઈ રહ્યા. આજે ત્યાં કોઈ સેના (અમેરિકાની) કોઈને (પાકિસ્તાન) સર્ટિફિકેટ આપે છે, થોડા વર્ષ પહેલા આ જ સેના એબોટાબાદમાં ઘૂસી હતી. સૌ કોઈ જાણે છે કે ત્યાં કોણ મળ્યું હતું.'
ટ્રમ્પની મધ્યસ્થીનો દાવો ખોટો: જયશંકર
જયશંકરે ટ્રમ્પની મધ્યસ્થીના દાવા પર જવાબ આપતા કહ્યું, કે 'પાકિસ્તાન સાથે સંઘર્ષ મુદ્દે ભારતે 1970થી અત્યાર સુધી આશરે 50 વર્ષમાં કોઈ પણ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર વખતે અમેરિકા જ નહીં, અન્ય દેશોએ પણ ફોન કર્યો હતો, આ કોઈ ગુપ્ત વાત નથી. પણ કોઈ મધ્યસ્થી થવાનો દાવો કરે તો તે ખોટું છે.' ટ્રમ્પ પર નિશાન સાધતાં જયશંકરે કહ્યું, કે 'અમે ક્યારેય આવા અમેરિકન પ્રમુખ નથી જોયા જે વિદેશનીતિ સાર્વજનિક રૂપે સંચાલિત કરતાં હોય. અને આ બદલાવ માત્ર ભારત માટે જ નથી. ટ્રમ્પની દુનિયાના દેશો સાથે વ્યવહાર કરવાની પરંપરાગત નથી. હું તમને ઉદાહરણ સાથે સમજાવું તો ગેરવેપાર મુદ્દે ટેરિફ લગાવવા યોગ્ય નથી.'
અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ: જયશંકર
જયશંકરે વધુમાં કહ્યું, કે 'ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વાટાઘાટો ચાલુ જ છે. એવું કશું નથી કે અમે નાના બાળકોની જેમ કિટ્ટા કરી લીધી હોય. પણ ભારતની અમુક રેડ લાઈન્સ છે, અમે ખેડૂતો અને નાના ઉત્પાદકો મામલે બાંધછોડ આપી શકીએ નહીં. ' રશિયાથી ઓઈલ ખરીદવા મામલે પણ જયશંકરે જવાબ આપ્યો, કે 'જો તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો. '








