India

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો

By GS TEAM
19 Oct 20252 mins read
TukuTouch Logo
રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બને છે. મોટાભાગે લોકો તેમની મુસાફરી દરમિયાન ચા અને સમોસાનો આનંદ માણતા હોય છે. જોકે, જબલપુર સ્ટેશન પર કંઈક એવું બન્યું જેણે લોકોને ચોંકાવી દીધા. ટ્રેન પ્લેટફોર્મ પર થોડીવાર માટે રોકાઈ ગઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો

Jabalpur Station News: રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બને છે. મોટાભાગે લોકો તેમની મુસાફરી દરમિયાન ચા અને સમોસાનો આનંદ માણતા હોય છે. જોકે, જબલપુર સ્ટેશન પર કંઈક એવું બન્યું જેણે લોકોને ચોંકાવી દીધા. ટ્રેન પ્લેટફોર્મ પર થોડીવાર માટે રોકાઈ ગઈ.

પેમેન્ટ ફેલ થતા વિક્રેતા મુસાફરનો કોલર પકડી લીધી 

આ સમય દરમિયાન, એક મુસાફર ટ્રેનમાંથી ઉતર્યો, સમોસા ખરીદવા ગયો અને ઓનલાઈન ચુકવણી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પેમેન્ટ ફેલ થયું. તે જ સમયે, ટ્રેન રવાના થઈ ગઈ. ગભરાયેલા મુસાફર ટ્રેન પકડવા દોડ્યો, પરંતુ સમોસા વેચનાર તેનો કોલર પકડીને માંગ કરી કે, 'મને પૈસા આપો!' આથી મુસાફરે પોતાની પાસે રોકડ ન હોવાનું જણાવ્યું. તેમ છતાં, સમોસા વેચનારએ જવા દેવાનો ઇનકાર કર્યો. આથી મુસાફરે સમોસાના બદલામાં પોતાની ઘડિયાળ ઉતારીને આપી, જેથી તે ટ્રેન ચૂકી ન જાય. આ આખી ઘટના કોઈ મુસાફરે તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેનો વીડિયો વાઈરલ થયો હતો. 

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો

આ વાઈરલ વીડિયો પર જબલપુર જિલ્લા મેજિસ્ટ્રેટ (DRM) એ દરમિયાનગીરી કરીને તપાસનો આદેશ આપ્યો હતો. મામલાની તપાસ થતા જાણવા મળ્યું કે આ ઘટના 17 ઓક્ટોબરની છે. આરોપી વિક્રેતાની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની અટકાયત કરવામાં આવી છે અને વિક્રેતાનું લાઇસન્સ પણ રદ કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું

ડીઆરએમ ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ ઘટના રેલવેની છબીને નુકસાન પહોંચાડે છે. આરોપી વિક્રેતાનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ગેરકાયદેસર છેડતી અથવા અભદ્ર વર્તનની તાત્કાલિક જાણ રેલવે હેલ્પલાઇન 139 અથવા આરપીએફ હેલ્પલાઇન પર કરે. આ ઘટના માત્ર મુસાફરોની સલામતી અને સુવિધા પર જ પ્રશ્નો ઉભા કરતી નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે નાની ભૂલો પણ મુસાફરોને મોટી અસુવિધા પહોંચાડી શકે છે.'