લોન્ચ થયાના એક મહિના પછી પણ આવકવેરા વિભાગની નવી વેબસાઇટ બરાબર ચાલતી નથી
સાત જૂને વેબસાઇટ લોન્ચ થયા પછી અનેક ફરિયાદો મળતા ૨૨ જૂને નાણા પ્રધાને ઇન્ફોસિસના અધિકારીઓએ સાથે સમીક્ષા બેઠક યોજી હતી
લોન્ચ થયાના પ્રથમ દિવસથી જ વેબસાઇટમાં ખામીઓ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
લોેન્ચિંગના
પ્રથમ દિવસે જ આવકવેરા વિભાગની નવી વેબસાઇટમાં અનેક ખામીઓ સામે આવી હતી. આ
મુશ્કેલીઓ હજુ પણ યથાવત રહી છે. વેબસાઇટ લોન્ચ થયાના બે સપ્તાહ પછી નાણા પ્રધાને આ
વેબસાઇટની કામગીરી અંગે સમીક્ષા બજેટ યોજી હતી. જો કે હજુ પણ વેબસાઇટના ઉપયોગમાં
કરદાતાઓને પડતી મુશ્કેલીઓ દૂર થઇ નથી.
ચાર્ટડ
એકાઉન્ટન્ટ્સના જણાવ્યા અનુસાર હજુ પણ ઇ
પ્રોસિડિંગ્સ અને ડિજિટલ સિગ્નેચર સર્ટીફિકેટ જેવા વિભાગો કાર્ય કરતા નથી. કેટલીક
વિદેશી કંપનીઓને પણ લોગઇન કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ઉલ્લેખનીય
છે કે આ વેબસાઇટ સાત જૂને લોન્ચ કરવામાં આવી હતી. વેંબસાઇટના ઉપયોગમાં અનેક
મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની અનેક ફરિયાદો મળ્યા પછી ૨૨ જૂને કેન્દ્રીય
નાણા પ્રધાન નિર્મલા સિતારમને આ વેબસાઇટનું નિર્માણ કરનાર ઇન્ફોસિસના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
હતી.
૨૦૧૯માં
ઇન્ફોસિસને આવકવેરા વિભાગની નવી વેબસાઇટનું નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં
આવ્યો હતો. કરદાતાઓને વધુ સુવિધા અને તેમના કાર્યો વધુ ઝડપથી પૂર્ણ થઇ શકે તે
ઉદ્દેશથી નવી વેબસાઇટનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટેક્સ
નિષ્ણાતો અને ચાર્ટડ એકાઉન્ટન્ટના જણાવ્યા અનુસાર ઇ-પ્રોસિડિન્ગ્સ ટેબ સંપૂર્ણપણે
કાર્ય કરતી નથી.ઓનલાઇન રેક્ટિફિકેશનનો વિકલ્પ ઉપલબ્ધ નથી. આઇટીઆર ૫,૬ અને ૭માં ટેક્સ
રિટર્ન ભરવા માટે જેએસઓન યુટિલિટી હજુ પણ ઉપલબ્ધ નથી.
ટેક્સ
નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા કેસોમાં આઇટીઆરના ઇ વેરિફિકેશન માટે
કરદાતાઓને ઓટીપી મળી રહ્યો નથી. ં ઓટીપી સત્તાવાર પ્રતિનિધિને મળતો ન હોવાથી ઇ
પ્રોસિડિન્ગ ટેબમાં રિપ્લાય ફાઇલ થતાં નથી.