આઇટી એક્ટની કલમ ૬૬એ હેઠળ કોઇની પણ સામે કેસ ચલાવી ન શકાય
અમે આ કલમને ૨૦૧૫માં જ રદ કરી કરી દીધી છે ઃ સુપ્રીમ
રદ કરવામાં આવેલી કલમમાં આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરનારને ત્રણ વર્ષની જેલની જોગવાઇ હતી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
ઇન્ફરમેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ની કલમ ૬૬ એ હેઠળ કોઇ પણ નાગરિક પર કેસ ચલાવી ન શકાય
તેમ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે આઇટી એક્ટની આ કલમ સુપ્રીમ
કોર્ટે ૨૦૧૫માં રદ કરી દીધી હતી.
રદ કરવામાં આવેલી કલમમાં આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરનાર
વ્યકિતને ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઇ હતી.
સુપ્રીમ કોર્ટે ૨૪ માર્ચ, ૨૦૧૫ના રોજ આ કલમને રદ કરતા જણાવ્યું હતું કે ઇન્ફરમેશન ટેકનોલોજી
એક્ટ, ૨૦૨૦ની કલમ
૬૬થી પ્રજાનો જાણવાનો અધિકાર પર સીધી રીતે અસર પડે છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ યુ યુ લલિતની અધ્યક્ષતા ધરાવતી
ખંડપીઠે જણાવ્યું હતું કે એવા તમામ કેસોમાં જ્યાં નાગરિક આઇટી એક્ટ, ૨૦૨૦ની કલમ ૬૬ એના
ભંગનો સામનો કરી રહ્યાં છે તેવા તમામ કેસોમાં આ કલમનો સંદર્ભ હટાવવામાં આવે.
ખંડપીઠે વધુમાં જણાવ્યું છે કે અમ તમામ ડાયરેક્ટર જનરલ ઓફ
પોલીાસ, રાજ્યના
ગૃહ સચિવો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સક્ષમ અધિકારીઓને નિર્દેશ આપીએ છીએ કે તે
પોત પોતાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સમગ્ર પોલીસ દળને આદેશ આપે કે તે
કલમ ૬૬એના કથિત ભંગના સંદર્ભમાં અપરાધની કોઇ ફરિયાદ દાખલ ન કરે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્દેશ ફક્ત કલમ ૬૬એ
હેઠળ દંડનીય અપરાધના સંદર્ભમાં લાગુ થશે અને જો સંબધિત અપરાધમાં અન્ય અપરાધોના પણ આરોપ
લગાવવામાં આવે છે તો ફકત કલમ ૬૬એ પર સંદર્ભ અને નિર્ભરતાને હટાવી દેવામાં આવશે.