પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન...' ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Israel-US War Ceasefire: ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સીઝફાયર બાદ પાકિસ્તાન પાકિસ્તાન ખૂબ ચર્ચામાં છે. મધ્યસ્થીમાં તેની ભૂમિકા પર ચર્ચા વચ્ચે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પાડોશી દેશને 'વિશ્વગુરુ અને ગ્લોબલ લીડર' કહીને સંબોધિત કર્યો છે. તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા આ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ હવે ભારતીયોની મજાક ઉડાવી રહ્યા છે.
કોંગ્રેસના દલિત નેતા અને દિલ્હીના પૂર્વ સાંસદ ઉદિત રાજે કહ્યું કે, પાકિસ્તાને યુદ્ધ અટકાવીને વિશ્વગુરુનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ માટે તેમએણે પીએમ મોદીની ટીકા કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કોંગ્રેસે 70 વર્ષોમાં જે સન્માન કમાયું હતું તે પીએમ મોદીએ બરબાર કરી નાખ્યું. પાકિસ્તાન અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કરીને વિશ્વગુરુ બની ગયું છે.
પાકિસ્તાન હવે ગ્લોબલ લીડર બની ગયું છે: કોંગ્રેસ નેતા
ઉદિત રાજે પીએમ મોદીની વિદેશ નીતિની ટીકા કરતા કહ્યું કે, 'પોતાના અંગત વિદેશ પ્રવાસો દરમિયાન કારણ વિના હસી-મજાક અને બળજબરીથી ગળે લગાવીને તેમણે માત્ર પોતાનો જ મજાક ન બનાવ્યો, પરંતુ દેશનું નામ પણ બદનામ કર્યું. કંગાળ અને આતંકવાદી પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં પોતાના સમર્થનમાં કેટલાક દેશોને એકઠા કર્યા હતા અને હવે તે ગ્લોબલ લીડર પણ બની ગયું છે. વિદેશમાં રહેતા ઘણા ભારતીયોએ કહ્યું કે, પાકિસ્તાનીઓ અને ત્યાંના અન્ય લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. દેશમાં જૂઠાણું ચાલી શકે, પરંતુ વિદેશમાં નહીં.'
પાકિસ્તાન પોતાની વાહવાહી લૂંટવામાં વ્યસ્ત
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે પાકિસ્તાનમાં સ્થાયી યુદ્ધવિરામ માટે હવે આગળની મંત્રણા થવાની છે. આ વચ્ચે પાકિસ્તાન પોતાની મર્યાદિત ભૂમિકાને પણ વધારી-ચઢાવીને રજૂ કરવામાં અને પોતાની વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે કહ્યું હતું કે, ઈસ્લામાબાદને હવે ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે એક 'ભરોસાપાત્ર' મધ્યસ્થી તરીકે માન્યતા મળી રહી છે. પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના સશરત યુદ્ધવિરામ સમજૂતી થયાના ગણતરીના કલાકો બાદ આસિફે ઈસ્લામાબાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનની ફરી 'ઈન્ટરનેશનલ ફજેતી', લેબેનોનમાં યુદ્ધવિરામ અંગે અમેરિકાએ હાથ ઊંચા કર્યા
તેમણે કહ્યું કે, આ (યુદ્ધવિરામ) અમારા સમગ્ર નેતૃત્વની સફળતા છે. અમે આ માટે અલ્લાહના શુક્રગુજાર છીએ. ગત વર્ષે ભારત સાથેના સંઘર્ષ બાદ પાકિસ્તાને લાંબી સફર ખેડી છે અને ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધવિરામ સમજૂતી બાદ હવે સમગ્ર વિશ્વ ઈસ્લામાબાદ તરફ જોઈ રહ્યું છે.








