India

હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત

By GS TEAM
14 Apr 20263 mins read
TukuTouch Logo
No Toll for India: Iran Offers Relief | હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો 'ટોલ ટેક્સ' વસૂલશે નહીં. ઈરાને ભારતને પોતાનો અત્યંત વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત

No Toll for India: Iran Offers Relief | હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો 'ટોલ ટેક્સ' વસૂલશે નહીં. ઈરાને ભારતને પોતાનો અત્યંત વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે.


ઈરાની રાજદૂતનું મહત્ત્વનું નિવેદન

ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમે ભારત સરકારને પૂછી શકો છો કે શું અમે અત્યાર સુધી કોઈ રકમ વસૂલી છે? મુશ્કેલ સમયમાં પણ અમારા સંબંધો મજબૂત છે. અમારું માનવું છે કે ભારત અને ઈરાનના હિતો એક સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જહાજોને ભવિષ્યમાં પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે.

અમેરિકી નાકાબંધી અને ભારતની સ્થિતિ

આ એલાન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર સંપૂર્ણ નાકેબંધી જાહેર કરી છે. આ દરમિયાન ભારતના જળમાર્ગ મંત્રાલયે માહિતી આપી છે કે હોર્મુઝમાં ફસાયેલા 15 ભારતીય જહાજોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે મળીને પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ઈરાન પરની અમેરિકી નાકેબંધીને સમર્થન આપવાનો ઈનકાર કર્યો છે.


ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું 'ઓપરેશન બ્લોકેડ'!

ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન બ્લોકેડ' શરૂ કરી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

USS ત્રિપોલી તૈનાત, કયા જહાજોને મળશે રસ્તો?

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, USS ત્રિપોલી (LHA 7) ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્યું છે. આ જહાજ પરથી 20થી વધુ F-35B જેટ્સ ઉડાન ભરી શકે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ઈરાનના બંદરો સાથે જોડાયેલા જહાજોને જ રોકશે, જ્યારે અન્ય દેશોના જહાજો માટે હોર્મુઝનો રસ્તો ખુલ્લો રહેશે.

ટ્રમ્પની ઈરાનને ધમકી

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાની નેવીની મજાક ઉડાવતા લખ્યું કે, ઈરાનની નેવીના 158 જહાજો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યા છે. જો ઈરાનની નાની ફાસ્ટ એટેક બોટ પણ અમારા જહાજોની નજીક આવવાની હિંમત કરશે, તો અમે તેમને ડ્રગ માફિયાઓની જેમ જડમૂળથી ખતમ કરી દઈશું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે આરપારના મૂડમાં છે.

શાંતિ વાટાઘાટો નિષ્ફળ

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલી અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણા કોઈ પરિણામ વગર પૂરી થઈ છે, જેને કારણે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ઈરાનનો વળતો પ્રહાર

ઈરાનની સેનાએ ધમકી આપી છે કે જો તેમના તેલ નિકાસ કે બંદરોને નુકસાન થશે, તો તેઓ અરબ સાગર અને ઓમાનની ખાડીમાં કોઈપણ દેશના બંદરોને સુરક્ષિત રહેવા દેશે નહીં.