Get The App

તાજમહલ હોય કે લાલ કિલ્લો... દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ

Updated: May 18th, 2025

GS TEAM

Google News
Google News
તાજમહલ હોય કે લાલ કિલ્લો... દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ 1 - image

International Museum Day: આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસના અવસર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ જાહેરાત કરી છે કે, 18 મે, 2025ના રોજ દેશભરના તમામ ASI સંરક્ષિત સ્મારકો અને સંગ્રહાલયોમાં સામાન્ય જનતા માટે ફ્રી એન્ટ્રી રહેશે.

દર વર્ષે ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસનો ઉદ્દેશ્ય સંગ્રહાલયોની ભૂમિકાને સમજવાનો છે, જે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમુદાયો અને પેઢીઓ વચ્ચે સંવાદને સ્થાપિત કરવામાં મહત્ત્તવપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

આ વખતે ASIએ જનતાને પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવા માટે  52 સ્મારક-મ્યુઝિયમ અને દેશના તમામ ટિકિટવાળા સ્મારકોમાં મફત પ્રવેશની સુવિધા આપી છે. આ સ્થળો પર ભારતના પ્રાચીન સાધનો, મૂર્તિઓ, મધ્યકાલીન શિલાલેખો સહિત ઘણી મહત્વપૂર્ણ પુરાતત્વીય વસ્તુઓ સચવાયેલી છે.

ASIનું સંગ્રહાલય વિંગ 52 સ્મારક-મ્યુઝિયમ

ASIની સંગ્રહાલય વિંગ 52 સ્મારક-મ્યુઝિયમનું સંચાલન કરે છે, જેમાંથી સર્ણાર્થ (1910) સૌથી જૂનું છે. આ સંગ્રહાલયો ખોદકામ સ્થળની નજીક સ્થિત હોય છે જેથી પ્રદર્શનમાં રહેલી વસ્તુઓ પોતાનો સંદર્ભ ન ગુમાવે અને સંશોધકો અને મુલાકાતીઓ બંને માટે અભ્યાસ માટે ઉપલબ્ધ રહે.

વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ સંગ્રહાલયો બનાવવામાં આવ્યા

તાજેતરમાં જ હુમાયુના મકબરામાં ભારતનું પ્રથમ ભૂગર્ભ સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સાથે જ વારાણસીની મણિ મહાન વેધશાળા અને ઓડિશાના લલિતગિરિ પુરાતત્વીય સ્થળને પણ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ સંગ્રહાલય બનાવવામાં આવ્યા છે. 18 મેના રોજ તાજમહેલ, લાલ કિલ્લો અને અન્ય તમામ સ્થળો એન્ટ્રી ફ્રીમાં મળશે.

ASIના સંગ્રહાલયોને સમાજના દરેક વર્ગની જરૂરિયાતો પ્રમાણે આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે, જેમાં AR (ઓગમેન્ટેડ રિયાલિટી) અને VR (વર્ચ્યુઅલ રિયાલિટી) ટેકનોલોજી સામેલ કરવામાં આવી રહી છે જેથી મુલાકાતીઓને વધુ સારો અનુભવ મળી શકે.

વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ

ASI પાસે સમગ્ર ભારતમાં 3,698 સંરક્ષિત સ્મારકો અને સ્થળો છે, જેમાંથી 26 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે. તે દેશના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને સ્થાપત્ય કૌશલ્યના સંરક્ષણ અને ઉજવણી માટે ASIની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ મફત પ્રવેશ યોજના સામાન્ય લોકોને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસની નજીક આવવાની તક મળશે અને આ અમૂલ્ય સ્થળોનો આનંદ માણવા અને તેમના વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.