Get The App

પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
પહેલગાંવ હુમલાની વરસીએ ભારત પાકિસ્તાનની પોલ ખોલવાનું છે 1 - image

22મી એપ્રિલે અમેરિકાનાં સંસદ ભવન (કેપિટોલ હીલ) પાક.નાં નાપાક કરતુતોનું, ભારતીય દૂતાવાસ પ્રદર્શન યોજવાનું છે

નવી દિલ્હી: દુનિયા સમક્ષ શાંતિ દૂત બનવાનો ઢોંગ કરી રહેલાં પાકિસ્તાનની અસલીયત ભારત અમેરિકાનાં સત્તા કેન્દ્ર (સંસદ ભવન) કેપિટોલ હીલમાં એક પ્રદર્શન યોજી વિશ્વ સમક્ષ ખુલ્લું પાડવાનું છે. તે રીતે ઇરાન યુદ્ધમાં શાંતિ-સ્થાપવાનો ઢોંગ કરનાર પાકિસ્તાનને બે નકાબ કરવાનો ભારતનો સ્પષ્ટ હેતુ છે.

આ પ્રદર્શનનું નામ ધી હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝ રખાયું છે. ેજનું ઉદ્ધાટન ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા કરવાના છે.

આ પ્રદર્શનનાં ઉદ્ધાટનની તારીખ ૨૨ એપ્રિલ રાખવામાં આવી છે. ગત વર્ષે આ (૨૨ એપ્રિલના) દિવસે જ જમ્મુ કાશ્મીરનાં પહેલગાંવમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ત્રણ નવવિવાહિત સહેલાણી યુગલ તથા તેમના એક ગાઇડ મળીને કુલ સાત નિર્દોષ વ્યક્તિઓની નૃશંય હત્યા કરી હતી. જેના વળતા જવાબ રૂપે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી પાક. કબ્જા નીચેનાં કાશ્મીર તેમજ પાકિસ્તાનના પંજાબમાં મળી કુલ નવ સ્થળોએ પ્રચંડ હવાઈ હુમલા કરી ત્યાં રહેલી આતંકવાદી છાવણીઓનો સફાયો કરી નાખ્યો હતો.

હવે દુનિયામાં શાંતિ દૂત બનવાનો દેખાવ કરનારાં પાકિસ્તાનની પોલ ખોલવાનો ભારતે નિર્ણય કર્યો છે.

ભારતના રાજદૂત વિનય કાત્રાએ તે પ્રદર્શનમાં ૧૯૯૩થી હજી સુધીમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરેલા હુમલાઓની તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં ૧૯૯૩માં મુંબઇમાં કરાયેલા સીલસીલાબદ્ધ હુમલા તેમજ ૨૦૦૮ના અને ૨૬-૧૧ના મુંબઇના ગમખ્વાર હુમલા તેમાં મહારાષ્ટ્ર પોલીસ અને પછીથી ત્યાં પહોંચેલી રાષ્ટ્રીય સલામતી દળની ટુકડી સાથે આતંકીઓનાં સામ સામા ગોળીબાર ભારતનાં સંસદ ભવન પરનો હુમલો ઉરી તથા પુલવામાં હુમલાઓની પ્રદર્શની પણ દર્શાવાસે. ઉપરાંત આતંકી હુમલાની ડીજીટલ રજૂઆત ફોટોગ્રાફર તથા પીડીતોની પણ આપવીતી રજૂ કરાશે.

ભારતનો મુખ્ય હેતુ દુનિયામાં યુદ્ધ રોકવા માટે શાંતિ-દૂત વતી છાતી ફૂલાવતાં પાકિસ્તાન પોતાની જ ભૂમી ઉપર આતંકીઓને આશ્રય આપી રહ્યું છે તે દર્શાવવાનો છે.