Get The App

પાકિસ્તાન બોર્ડર પર ભારત તૈનાત કરશે સ્વદેશી બનાવટના એટેક હેલિકોપ્ટર્સ, જાણો તેની ખાસિયતો

Updated: Aug 30th, 2022

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન બોર્ડર પર ભારત તૈનાત કરશે સ્વદેશી બનાવટના એટેક હેલિકોપ્ટર્સ, જાણો તેની ખાસિયતો 1 - image

નવી દિલ્હી,તા.30 ઓગસ્ટ 2022,મંગળવાર

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પર પોતાની પહેલી સ્વદેશી એટેક હેલિકોપ્ટરની સ્કવોડ્રન તૈનાત કરવા માટે જઈ રહી છે.

દેશમાં નિર્માણ પામેલા લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર્સની એક સ્કવોડ્રન જોધપુર એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. આ યુનિટની તૈનાતી બાદ હવે બોર્ડર પર નજર રાખવાનુ આસાન બનશે. ઘૂસણખોરી પણ રોકાશે અને આતંકી ગતિવિધિઓને પણ કાબૂમાં લઈ શકાશે.

ભારતીય સેના માટે બેંગ્લોરમાં લાઈટ કોમ્બેટ એટેક હેલિકોપ્ટરની એક સ્ક્વોડ્ર્ન પહેલેથી જ તૈયાર થઈ ચુકી છે. જેને ઈસ્ટર્ન કમાન્ડના નેજા હેઠળ તૈનાત કરવામાં આવશે અને આ ટુકડી ચીનની હરકતો પર નજર રાખવા માટે લાઈન ઓફ એચ્યુઅલ કંટ્રોલ નજીકના કોઈ બેઝ પર તૈનાત થશે.

ભારતીય સેના આવા 95 એટેક હેલિકોપ્ટર ખરીદવા માંગે છે. જેને સાત ટુકડીઓમાં વહેંચવામાં આવશે. આ પૈકીની કેટલીક ટુકડીઓ પહાડી વિસ્તારોમાં તૈનાત થશે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા લાઈટ કોમ્બેટ હેલિકોપર્ટસ બનાવાઈ રહ્યા છે. અત્યાર સુધી નવ હેલિકોપ્ટર બની ચુકયા છે અને બીજા 15 બનાવવાનો ઓર્ડર્ છે. આ હેલિકોપ્ટર 51 ફૂટ લાંબુ અને 15 ફુટ ઉંચુ છે. તેનુ શસ્ત્ર સરંજામ સાથેનુ વજન 5800 કિલો હોય છે.

તેની મહત્તમ ઝડપ 268 કિમી પ્રતિ કલાક અને રેન્જ 550 કિલોમીટરની છે. તે સતત 3 કલાક ઉડાન ભરી શકી છે. મહત્તમ 6500 ફૂટની ઉંચાઈ સુધી તે ઉડી શકે છે. તેના પર રોકેટ, મિસાઈલ અને બોમ્બ તથા 20 એમએમની એક ગન તૈનાત કરી શકાય છે.

1999ના કારગિલ યુધ્ધ દરમિયાન આ પ્રકારના હેલિકોપ્ટરોની જરૂરિયાત ઉભી થઈ હતી અને ત્યારથી તેને બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન આ હેલિકોપ્ટર્સ રણ, સિચાયીન, હિમાલયના પહાડો અને જંગલ એમ તમામ પ્રકારના માહોલમાં સફળ પૂરવાર થયા છે.

તેના પર એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ફિટ કરી શકાય છે અને સાથે સાથે ગ્રેનેડ લોન્ચરને પણ લગાવી શકાય છે. આ સિવાય હવામાંથી હવામાં માર કરતી મિસાઈલ્સનુ વહન કરવામાં પણ હેલિકોપ્ટર સક્ષમ છે.

લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરને અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ અને્ રડારથી સજ્જ કરાયુ છે. સાથે સાથે દુશ્મન મિસાઈલથી બચાવ કરવા માટેની ફ્લેયર સિસ્ટમ પણ તેમાં લગાવાઈ છે.

જોધપુરમાં આ હેલિકોપ્ટર્સને તૈનાત કરાશે અને તે જુના એમઆઈ 35 અને એમઆઈ 25 હેલિકોપ્ટર્સની જગ્યા લેશે.આ બંને હેલિકોપ્ટર રશિયન બનાવટના છે.

ભારતે સાથે સાથે અમેરિકા પાસે ઘાતક અપાચે એટેક હેલિકોપ્ટર પણ ખરીદયા છે અને તેની પણ અલગ અલગ જગ્યાએ તૈનાતી થઈ રહી છે.

Tags :