કોણ છે ઓઈલ માફિયા? ભારતે મધદરિયે ઓપરેશન ચલાવી જપ્ત કરેલા જહાજો મુદ્દે ઈરાનનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Seizes 3 Ships in Oil Smuggling Crackdown; Iran Denies Link | આંતરરાષ્ટ્રીય દરિયામાં ઓઈલની હેરાફેરીના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. ભારતે મુંબઈ નજીક દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજો જપ્ત કર્યા છે. જે બાદ મીડિયા અહેવાલોમાં અટકળો વહેતી થઈ હતી કે આ ત્રણેય જહાજ ઈરાનના છે. જોકે આ અટકળોને ઈરાને રદિયો આપતા જણાવ્યું છે કે આ જહાજો સાથે અમારે કોઈ લેવા દેવા નથી. ઈરાનની રાષ્ટ્રીય ઓઈલ કંપનીએ કહ્યું છે કે ભારતે જપ્ત કરેલા જહાજ ઈરાનના નથી.
ભારતીય કોસ્ટગાર્ડે ચલાવ્યું હતું ઓપરેશન
નોંધનીય છે કે ગઈ 5 અને 6 ફેબ્રુઆરીએ ભારતે એક સંયુક્ત ઓપરેશન કરી ત્રણ જહાજો જપ્ત કર્યા હતા. દરિયાના નિયમો તથા કસ્ટમ ડ્યુટીથી બચવા માટે ઓઈલની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જે બાદ મુંબઈથી 100 નોટિકલ માઈલ પશ્ચિમમાં ત્રણ જહાજો રોકવામાં આવ્યા. ભારતના દરિયામાં શંકાસ્પદ ગતિવિધિના સંકેત મળતા જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અધિકારીઓ જણાવ્યું છે કે આ જહાજો દરિયાની વચ્ચે ક્રૂડ ઓઈલના કાર્ગો એક જહાજથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. જે બાદ ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક જહાજો અને વિમાન તૈનાત કર્યા હતા.
વારંવાર ઓળખ બદલાવામાં આવતી હતી
તપાસ દરમિયાન જહાજોના દસ્તાવેજ, ઈલેક્ટ્રોનિક ડેટાની તપાસ કરવામાં આવી તથા ક્રૂ મેમ્બર્સની પૂછપરછ પણ કરાઇ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓઈલની હેરાફેરીનું આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું હતું. પોતાની ઓળખ છુપાવવા માટે જહાજો પરના નામ, ધ્વજ અને ડિજિટલ ઓળખ વારંવાર બદલવામાં આવતી હતી.









