પાકિસ્તાન બાદ બાંગ્લાદેશનું નાક દબાવવાની તૈયારી, ગંગા જળ સમજૂતિમાં ફેરફાર ઈચ્છે છે ભારત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Images Sourse: IANS |
Ganga Water Treaty: પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી ભારત હવે બાંગ્લાદેશ સાથે થયેલા ઐતિહાસિક ગંગા સંધિની શરતોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. અહેવાલો અનુસાર, ભારત બાંગ્લાદેશ સાથેના સંધિમાં ફેરફાર કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. નોંધનીય છે કે, પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન વર્ષ 1996માં થયેલી ગંગા જળ સંધિ 2026માં સમાપ્ત થઈ રહી છે. આ સંધિ પરસ્પર સંમતિથી ફરીથી લાગુ કરવી પડશે.
ભારત ગંગા જળ સંધિમાં સુધારો કરી શકે છે
અહેવાલો અનુસાર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1996માં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના કાર્યકાળ દરમિયાન ગંગા જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ ગંગા નદીના પાણીને વહેંચવા માટે કરવામાં આવી હતી. હવે ભારત આ સંધિમાં ફેરફાર કરવા માંગે છે. ભારતનું કહેવું છે કે તેને સિંચાઈ, બંદર જાળવણી અને વીજળી ઉત્પાદન માટે વધુ પાણીની જરૂર છે. તેથી હાલની સંધિમાં સુધારો કરવા માંગે છે.
ભારત હવે આ સંધિ હેઠળ વધુ પાણીની માંગ કરે છે
ભારતને દર વર્ષે પહેલી જાન્યુઆરીથી 31મી મે દરમિયાન વધુ પાણીની જરૂર પડે છે. ચોમાસાના અભાવને કારણે, આ સમયે ગંગા નદીમાં પાણીની અછત રહે છે. જેમ જેમ આપણે વારાણસીથી પટના તરફ આગળ વધીએ છીએ તેમ તેમ તેની અસર દેખાવા લાગે છે. જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ પરિસ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. ભારત ઈચ્છે છે કે ગંગા જળ સંધિમાં ફેરફાર કરીને આ આ સમયગાળામાં વધુ પાણી મળી શકે, જેથી ગંગામાં પાણીનો પ્રવાહ સારી સ્થિતિમાં રહે. ઓછા પાણીને કારણે, ગંગામાં રેતીના સંચયની સમસ્યા પણ વધી રહી છે.
ગંગા જળ સંધિ અનુસાર, 11મી માર્ચથી 11મી મે સુધી ભારત અને બાંગ્લાદેશ બંનેને 10-10 દિવસ માટે 35,000 ક્યુસેક પાણી મળે છે. પરંતુ, હવે ભારત ઇચ્છે છે કે તેને આ સમયગાળા દરમિયાન 30,000 થી 35,000 ક્યુસેક વધારાનું પાણી મળવું જોઈએ.









