India

ઓપરેશન સિંદૂરમાં પાક.ને સમર્થન આપવું બે દેશોને ભારે પડ્યું, ભારતીયોએ ભણાવ્યો પાઠ

By GS TEAM
19 Oct 20252 mins read
TukuTouch Logo
ભારત-પાકિસ્તાન તણાવના પરિણામે મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એટલા માટે થયો કે આ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધી, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રે જોવા મળી. ખાસ કરીને, મે થી ઓગસ્ટ 2025 દરમિયાન, અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓના આગમનમાં 56% અને તૂર્કિયેમાં 33.3%નો ઘટાડો નોંધાયો હતો. અગાઉ એટલે કે 2024માં, અઝરબૈજાનમાં 2.44 લાખ ભારતીય પ્રવાસીઓ જોવા મળ્યા હતા, જ્યારે તૂર્કિયેમાં 3.31 લાખ. જોકે, ઓપરેશન સિંદૂર પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપરેશન સિંદૂરમાં પાક.ને સમર્થન આપવું બે દેશોને ભારે પડ્યું, ભારતીયોએ ભણાવ્યો પાઠ

India Tourist Decline Turkey Azerbaijan: ભારત-પાકિસ્તાન તણાવના પરિણામે મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એટલા માટે થયો કે આ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધી, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રે જોવા મળી. ખાસ કરીને, મે થી ઓગસ્ટ 2025 દરમિયાન, અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓના આગમનમાં 56% અને તૂર્કિયેમાં 33.3%નો ઘટાડો નોંધાયો હતો. અગાઉ એટલે કે 2024માં, અઝરબૈજાનમાં 2.44 લાખ ભારતીય પ્રવાસીઓ જોવા મળ્યા હતા, જ્યારે તૂર્કિયેમાં 3.31 લાખ. જોકે, ઓપરેશન સિંદૂર પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ.

તૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો

ઓપરેશન સિંદૂર પછી તરત જ, ભારતીય ટ્રાવેલ કંપનીઓ અને ટ્રાવેલ પોર્ટલોએ પ્રવાસીઓને તૂર્કિયે અને અઝરબૈજાનની મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. 14 મેના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં, ટ્રાવેલ પોર્ટલે જણાવ્યું હતું કે, ભારતીય પ્રવાસીઓ તૂર્કિયે અને અઝરબૈજાનમાં પ્રવાસ ન કરવા તટસ્થ રહ્યા છે. પરિણામે છેલ્લા અઠવાડિયામાં અઝરબૈજાન અને તૂર્કિયે માટેના બુકિંગમાં 60%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે  કેન્સલેશનમાં 250%નો વધારો થયો છે. સશસ્ત્ર દળો સાથે એકતા દર્શાવવા માટે ટ્રાવેલ કંપનીએ બંને સ્થળો માટેના પ્રમોશન અને ઑફર્સને પણ અટકાવી દીધા છે.

અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 22% ઘટી

મે-ઓગસ્ટ 2024માં અઝરબૈજાનમાં આશરે 1 લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. મે-ઓગસ્ટ 2025માં આ સંખ્યા ઘટીને 44,000 અને ઓગસ્ટ 2024માં 21,137 અને ઓગસ્ટ 2025માં માત્ર 6032 થઈ ગઈ હતી. 2025ના પ્રથમ આઠ મહિનામાં અઝરબૈજાનની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા 22% ઘટી છે.

આ પણ વાંચો: ભાજપ નેતા ગિરિરાજ સિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું- ઉપકાર નથી માનતા

તૂર્કિયેની વાત કરીએ તો મે-ઓગસ્ટ 2024માં તૂર્કિયેમાં આશરે 1.36 લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. મે-ઓગસ્ટ 2025 માં આ સંખ્યા ઘટીને 90,400 થઈ ગઈ. જાન્યુઆરી-ઓગસ્ટ 2025 માં કુલ 1.74 લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા, જે 2024 ની તુલનામાં 21% નો ઘટાડો દર્શાવે છે. પાકિસ્તાનને અઝરબૈજાન અને તૂર્કિયેના સમર્થનની સીધી અસર માત્ર રાજદ્વારી રીતે જ નહીં પરંતુ તેમના પ્રવાસન ઉદ્યોગો પર પણ  પડી છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આગામી મહિનાઓમાં આ ઘટાડો વધુ ઘેરો બનવાની શક્યતા છે.