India

ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં 'ત્રિશૂળ યુદ્ધાભ્યાસ'થી પાકિસ્તાનમાં ફફડાટ, એરસ્પેસ બંધ

By GS TEAM
28 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતના ત્રણેય સશસ્ત્ર દળો (નૌકાદળ, ભૂમિસેના અને વાયુસેના) દ્વારા 30 ઓક્ટોબરથી યોજાનારી "ત્રિશૂલ" કવાયતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. ભારતે પહેલાથી જ NOTAM (હવાઈ મિશનોને સૂચના) જાહેર કર્યું હતું. પાકિસ્તાને આ NOTAMથી ચિંતિંત થઈ તેના સમગ્ર હવાઈ ક્ષેત્રમાં સૂચન કરી એલર્ટ રહેવા કહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં 'ત્રિશૂળ યુદ્ધાભ્યાસ'થી પાકિસ્તાનમાં ફફડાટ, એરસ્પેસ બંધ

Image : File Photo



Indian Army Trishul Exercise: ભારતના ત્રણેય સશસ્ત્ર દળો (નૌકાદળ, ભૂમિસેના અને વાયુસેના) દ્વારા 30 ઑક્ટોબરથી યોજાનારી "ત્રિશૂળ" કવાયતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. ભારતે પહેલાથી જ NOTAM (હવાઈ મિશનોને સૂચના) જાહેર કર્યું હતું. પાકિસ્તાને આ NOTAMથી ચિંતિંત થઈ તેના સમગ્ર હવાઈ ક્ષેત્રમાં સૂચન કરી ઍલર્ટ રહેવા કહ્યું છે.

તમામ પાકિસ્તાન હવાઈ ક્ષેત્ર બંધ 

પાકિસ્તાનના તમામ હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા આ પગલું તેના નૌકાદળના વડાની સર ક્રીક ક્ષેત્રની મુલાકાત બાદ લેવામાં આવ્યું છે. ભારતીય ભૂ-સેના, નૌકાદળ અને વાયુસેના રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં (30 ઑક્ટોબરથી 11 નવેમ્બર સુધી) સંયુક્ત કવાયત કરી રહ્યા છે. ભારતીય સેનાનો આ યુદ્ધાભ્યાસ સમુદ્રમાં અને રણ વિસ્તારોમાં થશે. ભારત તરફથી સાવચેતીના ભાગરૂપે નોટમ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ વિમાન તેની ઝપેટમાં ન આવે. બીજી બાજુ પાકિસ્તાને પોતે જ આ નોટમનો લગભગ સંપૂર્ણ દેશમાં ફેલાવો કર્યો હતો.

રાજનાથસિંહે ચેતવણી આપી હતી

પાકિસ્તાનના નૌકાદળના વડાએ ગયા અઠવાડિયે સર ક્રીકની મુલાકાત લીધા બાદ તેની સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મહિનાની શરુઆતમાં, ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સર ક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. સંરક્ષણ મંત્રી સર ક્રીક ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા લશ્કરી માળખાના વિસ્તરણ સામે કડક ચેતવણી આપી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓએ ભૂલવું ન જોઈએ કે સર ક્રીકમાંથી પસાર થતો એક રસ્તો કરાચી તરફ જાય છે. આ ક્ષેત્રમાં દુશ્મન દ્વારા કરવામાં આવતી કોઈપણ હિંમત તેના ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી શકે છે.

ઓપરેશન સિંદૂર પછી વ્યૂહરચના બદલાઈ

ઓપરેશન સિંદૂર પછી ભારતીય સશસ્ત્ર દળો હિંદ મહાસાગરથી અરબી સમુદ્ર સુધી સક્રિય છે. અગાઉ, ભારતીય નૌકાદળે બ્રિટિશ રોયલ નેવી સાથે સંયુક્ત કવાયત હાથ ધરી હતી. તાજેતરમાં, ભારતીય વાયુસેનાએ કોંકણ કિનારે ઍડ્વાન્સ્ડ મેન-અનમેન્ડ ટીમિંગ(MUM-T)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને હવે ત્રણેય દળો સંયુક્ત કવાયત કરવા જઈ રહ્યા છે.