Get The App

વધુ ચિત્તા ભારત લવાશે પણ આ વખતે કૂનો નહીં અહીં બનશે તેમનું નવું ઠેકાણું, તૈયારીઓ શરૂ

Updated: Aug 28th, 2024

GS TEAM

Google News
Google News
વધુ ચિત્તા ભારત લવાશે પણ આ વખતે કૂનો નહીં અહીં બનશે તેમનું નવું ઠેકાણું, તૈયારીઓ શરૂ 1 - image

India will bring another Cheetah this year:  સરકારે આ વર્ષના અંત સુધીમાં 12 થી 14 વધુ દીપડાઓને ભારતમાં લાવવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. આ સંદર્ભે વાતચીત માટે ભારતીય પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી શકે છે. આ મામલે જોડાયેલા અધિકારીઓએ આ માહિતી આપી છે. 

મળતી માહિતી પ્રમાણે તેના માટે કેન્યા સાથે પણ વાતચીત ચાલી રહી છે અને સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ચિત્તાઓેને ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં લાવવાની યોજના છે.

એક અધિકારીએ કહ્યું, "અમે આ મામલે દક્ષિણ આફ્રિકા સાથે વાતચીત કરી રહ્યા છીએ. ગ્રાઉન્ડ લેવલ મંત્રણા કરવા માટે એક પ્રતિનિધિમંડળ સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા જશે. ચિત્તાઓનું આ સમૂહ બેમાંથી કોઈ એક દેશમાંથી લાવી શકાય છે. અમે દક્ષિણ આફ્રિકાને કહ્યું છે કે, અમે ચિતા પ્રોજેક્ટ સ્ટીયરીંગ કમિટીની ભલામણો અને યોજના પ્રમાણે આ વર્ષના અંત સુધીમાં ચિત્તાના બીજા સમૂહને અહીં લાવવાની કોશિશ ઝડપી કરી છે. 

ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય નવું સ્થળ બનશે

ચિત્તાઓની આગામી બેચ ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવશે. જે ચિત્તાઓને રહેવા માટે બીજા ઘર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, કુનો નેશનલ પાર્કમાં તેની ક્ષમતા કરતા વધુ 20 ચિત્તાઓ છે. ભારતમાં ચિત્તાઓનું પ્રથમ ઘર કુનો, ચિત્તાની વધુ વસ્તી અને ઓછા શિકારને કારણે મુશ્કેલીઓ પડી રહી હતી. 

સેન્ટ્રલ કમિટીના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર 2022માં ચિત્તાઓને ભારતમાં ફરીથી લાવ્યા બાદ તેમના શિકારની વ્યવસ્થા કરવી અને તેમને દીપડાઓથી બચાવવા એ મુખ્ય પડકારો છે. ઓછા શિકારને કારણે ગત વર્ષે ઓગસ્ટમાં જંગલમાંથી પાછા લાવવામાં આવ્યા બાદ કુનોમાં ચિત્તાઓને બંધ રાખવામાં આવ્યા હતા. હાલમાં અધિકારીઓ કુનો અને ગાંધી સાગર બંનેમાં શિકારની વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઉપરાંત દીપડાને અન્ય સ્થળોએ પણ મોકલવામાં આવી રહ્યા છે.