Get The App

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં 1 - image


Covid 19 Case Update: ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961 થઈ ગયા છે. જેમાં કેરળમાં સૌથી વધારે 1435 કેસ સામે આવ્યા છે. જોકે, મહારાષ્ટ્ર 506 કેસ સાથે બીજા નંબર પર છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(MoHFW)ના આંકડા અનુસાર, સોમવાર (2 જૂન) સુધી 24 કલાકમાં 370 નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથનનું કહેવું છે કે, વધતા કેસના કારણે ડરવાની જરૂર નથી. 

24 કલાકમાં દિલ્હીમાં એક વ્યક્તિનું મોત

આંકડા અનુસાર, ગત 24 કલાકમાં દિલ્હીમાં કોવિડથી એક મૃત્યુ થયું છે. 22 વર્ષની યુવતી શ્વાસ સાથે જોડાયેલી બિમારીથી પીડિત હતી. જેને ઉમેરતા અત્યાર સુધીમાં કુલ 4 મોત થયા છે. 

આ પણ વાંચોઃ INDIA ગઠબંધનમાં તિરાડ! બિહાર વિધાનસભામાં AAP તમામ 243 બેઠકો પર લડશે ચૂંટણી

એશિયાના દરેક દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો

જણાવી દઈએ કે, એશિયાના અનેક દેશોમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે, મોટાભાગના કેસ વધુ ગંભીર નથી. પરંતુ, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ રહી છે અને જે વૃદ્ધ છે, તેવી વ્યક્તિને કોવિડ-19નું સૌથી વધુ રિસ્ક છે. આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે, કોવિડ-19 રસીનો બુસ્ટર ડોઝ જરૂર લેવો જોઈએ. આ વધારો ખાસ કરીને કોરોના વાયરસ ઓમિક્રોન વેરિયન્ટમાં થઈ રહ્યા છે. એશિયાના દેશોમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ જે વેરિયન્ટની સિક્વન્સ કરી છે, તે LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સીરિઝના છે. 

આ પણ વાંચોઃ JEE ઍડ્વાન્સનું પરિણામ જાહેર, રાજસ્થાનના કોટાથી રજિત ગુપ્તા દેશભરમાં ટોપર બન્યો

જાણકારો અનુસાર, JN.1 વેરિયન્ટ વઘુ સંક્રામક છે અને રોગપ્રતિકારક શક્તિને માત આપી દે છે. JN.1 વેરિયન્ટ ઓમિક્રોનનું જ એક રૂપ છે. તેથી, કોવિડની રસી આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. 

એમ.એસ સ્વામીનાથને શું કહ્યું? 

WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની અને એમ એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ સૌમ્યા સ્વામીનાથને પણ કોરોનાના નવા કેસ પર પ્રતિક્રિયા આપી છે. ગત થોડા વર્ષોમાં લોકોએ રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરી છે, જેના કારણે કોવિડથી ડરવાની જરૂર નથી. 


Tags :