India

5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન

By GS TEAM
26 Oct 20252 mins read
TukuTouch Logo
ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ આજથી ફરી શરૂ થઈ રહી છે. ઇન્ડિગો ફ્લાઇટ 6E1703 26 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગુઆંગઝુ માટે રવાના થશે. દિલ્હી-ગુઆંગઝોઉ રૂટ પણ 9 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. આ પગલું બંને દેશો વચ્ચે પાંચ વર્ષ પછી એર કનેક્ટિવિટીની ઔપચારિક વાપસી દર્શાવે છે. આજ રાત્રે ઉડનારી આ ફ્લાઇટ માત્ર આકાશમાં પ્રવાસ નહીં, પરંતુ એક નવી રાજદ્વારી શરૂઆતનો પણ સંકેત આપે છે. જ્યાં ગલવાન ખીણ સંઘર્ષ પછી તણાવગ્રસ્ત સંબંધો હવે પાટા પર આવી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન

India China Direct flight: ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ આજથી ફરી શરૂ થઈ રહી છે. ઇન્ડિગો ફ્લાઇટ 6E1703 26 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગુઆંગઝુ માટે રવાના થશે. દિલ્હી-ગુઆંગઝોઉ રૂટ પણ 9 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. આ પગલું બંને દેશો વચ્ચે પાંચ વર્ષ પછી એર કનેક્ટિવિટીની ઔપચારિક વાપસી દર્શાવે છે. આજ રાત્રે ઉડનારી આ ફ્લાઇટ માત્ર આકાશમાં પ્રવાસ નહીં, પરંતુ એક નવી રાજદ્વારી શરૂઆતનો પણ સંકેત આપે છે. જ્યાં ગલવાન ખીણ સંઘર્ષ પછી તણાવગ્રસ્ત સંબંધો હવે પાટા પર આવી ગયા છે.

આ પણ વાંચો: ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

31 ઓગસ્ટના રોજ તિયાનજિનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની  મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા પર વિચારણા ચાલી રહી છે. ત્યાર બાદ ભારતે રાજદ્વારી પાનું બદલી દીધું કે હવે ચીન માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ઉપડશે. જૂન 2020 માં ગલવાન ખીણમાં થયેલા અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો 1962 ના યુદ્ધ પછીના સૌથી નીચા સ્તર પર આવી ગયા હતા. લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો બાદ બંને પક્ષોએ LAC પરના ઘણા વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા હતા.

આ પણ વાંચો: 'ભારત-આસિયાનના સંબંધોમાં પ્રગતિ થઈ', સમિટમાં PM મોદીનું વર્ચ્યુઅલી સંબોધન

છેલ્લા કેટલાક મહિનાઓથી સંબંધો સામાન્ય બનાવવાની પ્રક્રિયા

ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે નોંધપાત્ર રીતે તણાવ વધી ગયો હતો. ઓક્ટોબર 2023 માં અંતિમ વિવાદિત મુદ્દાઓ, ડેપસાંગ અને ડેમચોક પર એક કરાર થયો હતો. એ પછી થોડા સમય પછી કાઝાનમાં મોદી-શી વાટાઘાટોમાં સંબંધો સુધારવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. હવે, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી એ આ પ્રક્રિયાનો મુખ્ય ઘટક માનવામાં આવે છે.