ભારતમાં 10 વર્ષમાં અત્યંત ગરીબોની સંખ્યા 27.1 ટકાથી ઘટીને 5.3 ટકા થઈ: વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ
World Bank Poverty Rate: વર્લ્ડ બૅન્કે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે, તેને $2.15 પ્રતિ દિવસથી વધારીને $3 પ્રતિ દિવસ કરી છે. આ નવા ધોરણ મુજબ, ભારતમાં અત્યંત ગરીબી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ બૅન્કના ડેટા અનુસાર, 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ 2022-23માં ઘટીને માત્ર 5.3% થયો છે. આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી 344.47 મિલિયનથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ છે.
આ રિપોર્ટ શા માટે બનાવવામાં આવે છે?
વર્લ્ડ બૅન્કના ગરીબી અને સમાનતા સંબંધિત સંક્ષિપ્ત વિવરણ (PEB) 100થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, સહિયારી સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે માહિતી આપે છે.
વર્લ્ડ બૅન્ક અને IMFની વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર આ માહિતી બહાર પાડવામાં આવે છે. આ વિવરણ કોઈ પણ દેશની ગરીબી અને અસમાનતાનું એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.
આનાથી એ નિશ્ચિત થાય છે કે ગરીબી ઘટાડવી એ વૈશ્વિક પ્રાથમિકતા બની રહે. દરેક PEBમાં બે પાનાની સમરી હોય છે, જે ગરીબી ઘટાડવાના તાજેતરના વિકાસની સાથે સાથે મુખ્ય વિકાસ સૂચકાંકો વિશે પણ માહિતી પૂરી પાડે છે.
આ રિપોર્ટ અનુસાર...
- ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ગરીબી 2011-12માં 18.4%થી ઘટીને 2022-23માં 2.8% થઈ છે.
- એ જ સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અત્યંત ગરીબી 10.7%થી ઘટીને 1.1% થઈ છે.
- ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનો તફાવત 7.7%થી ઘટીને 1.7% રહ્યો છે.
- 2011-12 અને 2022-23 વચ્ચે વાર્ષિક ઘટાડાનો દર 16% રહેશે.
રોજગારમાં થયેલી વૃદ્ધિ
વર્લ્ડ બૅન્કે શોધી કાઢ્યું છે કે ભારતને નિમ્ન-મધ્યમ આવક સ્તરે ગરીબી ઘટાડવાથી નોંધપાત્ર લાભ મળ્યો છે, જેને પ્રતિ દિન 3.65 અમેરિકી ડૉલર પર માપવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ વ્યાપક-આધારિત વૃદ્ધિથી લાખો લોકોને ફાયદો થયો છે. 2021-22 પછી, રોજગાર વૃદ્ધિમાં સકારાત્મક વલણો જોવા મળ્યા છે, ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વર્લ્ડ બૅન્કના રિપોર્ટમાં જણાવાયું છે.
યોગદાન આપનારા મુખ્ય રાજ્યો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર ભારતમાં અત્યંત ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં મુખ્ય રાજ્યોએ ગરીબી ઘટાડવામાં અને સમાવેશી વિકાસને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પાંચ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો એટલે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 2011-12માં ભારતના 65% અત્યંત ગરીબ લોકો રહેતા હતા. 2022-23 સુધીમાં, આ રાજ્યોએ અત્યંત ગરીબીમાં કુલ ઘટાડામાં બે-તૃતીયાંશ યોગદાન આપ્યું છે.