'વિદેશથી ચિત્તા લાવવા કરતાં આપણા ત્યાંની પ્રજાતિઓનું સંરક્ષણ કરો' વરુણ ગાંધી સરકાર પર વરસ્યાં
વરુણ ગાંધીએ કહ્યું આફ્રિકાથી ચિત્તા મગાવવા અને તેમાંથી 9ને વિદેશી ધરતી પર મરવા માટે છોડી દેવા ક્રૂરતા જ નહીં પરંતુ ઉદાસીનતા અને લાપરવાહી દર્શાવે છે
સરકાર ફરી આફ્રિકાથી ચિત્તા લાવવાની કરી રહી છે પ્લાનિંગ, ડિસેમ્બર સુધીમાં આયાત થઈ શકે
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ શનિવારે ફરી એકવાર તેમની જ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. વરુણ ગાંધીએ આફ્રિકાથી ચિત્તા મગાવવાને ક્રૂરતા ગણાવી હતી. આટલું જ નહીં તેમણે આગળ કહ્યું કે વિદેશની પ્રાણીઓને મગાવવાની જગ્યાએ સારું હોત કે આપણા ત્યાંની પ્રજાતિઓનું જ સંરક્ષણ કર્યું હોત.
Importing cheetahs from Africa and allowing nine of them to die in a foreign land is not just cruelty, it's an appalling display of negligence.
— Varun Gandhi (@varungandhi80) September 16, 2023
We should focus on conserving our own endangered species and habitats rather than contributing to the suffering of these magnificent… https://t.co/atB0hFE8wC
વરુણ ગાંધી અનેકવાર ઊઠાવી ચૂક્યા છે સવાલો
ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ અગાઉ પણ પોતાની સરકાર અને પાર્ટી લાઈનથી અલગ નિવેદનબાજી કરતા રહે છે. તેમણે મોદી સરકારના અનેક નિર્ણયો સામે અગાઉ પણ સવાલો ઊઠાવ્યા હતા.
ટ્વિટ કરી સરકારને આપી સલાહ
વરુણ ગાંધીએ એક્સ પર લખ્યું કે આફ્રિકાથી ચિત્તા મગાવવા અને તેમાંથી 9ને વિદેશી ધરતી પર મરવા માટે છોડી દેવા ક્રૂરતા જ નહીં પરંતુ ઉદાસીનતા અને લાપરવાહી દર્શાવે છે. આપણે આ શાનદાર પ્રાણીઓની પીડા વધારવાની જગ્યાએ આપણે ત્યાં ઉપલબ્ધ પ્રજાતિઓ અને તેમના આવાસના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
ડિસેમ્બરમાં ફરી ચિત્તા લાવવાની ચર્ચા અંગે શું કહ્યું?
ભાજપ સાંસદે આગળ લખ્યું કે આપણે વિદેશી પ્રાણીઓની આ લાપરવાહ શોધને તાત્કાલિક બંધ કરવી જોઈએ. તેની જગ્યાએ આપણા મૂળ વન્યજીવોના કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય વાઘ ઓથોરિટીના પ્રમુખ યાદવે કહ્યું કે ચિત્તાઓની આગામી બેચ દ.આફ્રિકાથી આયાત કરાશે. તેમને મધ્યપ્રદેશના ગાંધી સાગર વન્યજીવ અભ્યારણ્યમાં રખાશે. વર્ષના અંત સુધી આ ચિત્તાઓને લાવવાની યોજના છે.