Get The App

સિંધુ સંસ્કૃતિ કેવી રીતે નષ્ટ પામી? જાણો એવું તો શું થયું હતું 6,900 વર્ષ પહેલા ભારતની ધરતી પર...

Updated: Dec 15th, 2023

GS TEAM


Google News
Google News
સિંધુ સંસ્કૃતિ કેવી રીતે નષ્ટ પામી? જાણો એવું તો શું થયું હતું 6,900 વર્ષ પહેલા ભારતની ધરતી પર... 1 - image


Image Source: Wikipedia

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર

વિશાળ ઉલ્કા પિંડોના પૃથ્વી પર પડવાથી જીવજંતુઓ અને વનસ્પતિઓના વિલુપ્ત થવાના વૈજ્ઞાનિક પ્રમાણ તો ઉપલબ્ધ છે પરંતુ શું ક્યારેય માનવ સભ્યતા પણ ઉલ્કા પિંડ પડવાથી ખતમ થઈ છે? ભારતના વૈજ્ઞાનિક આ ગુત્થીને ઉકેલવાના નજીક છે. તેઓ ગુજરાતના કચ્છમાં એક વિશાળ ખાડાના સેમ્પલની સ્ટડી કરી રહ્યા છે જે ઉલ્કા પિંડ પડવાના કારણે બન્યુ છે. 

4 વર્ષની મહેનત બાદ વૈજ્ઞાનિકોને મળ્યા સેમ્પલ

કેરળ યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના સંશોધકોને 4 વર્ષ લાગ્યા પરંતુ આખરે તેમને વૈજ્ઞાનિક ખજાનો મળી જ ગયો- મેલ્ટ-રોક્સ. વિજ્ઞાનની ભાષામાં તેને મેલ્ટ-રોક એટલે કે પીગળેલી શિલા જ કહેવાય છે જે ઉલ્કાપિંડનો ભાગ હોય છે. આ કોઈ ઉલ્કાપિંડ પડવાથી બને છે. આ મેલ્ટ-રોક મળ્યો છે. કચ્છ સ્થિત લૂના નામના એક નાના વિસ્તારમાં. 

આ મેલ્ટ-રોકની કાર્બનડેટિંગથી જાણ થઈ છે કે તે ઉલ્કાપિંડ લગભગ 6,900 વર્ષ પહેલા પડી હતી. ખાસ કરીને તે દરમિયાન જ્યારે તે વિસ્તારમાં સિંધુ ખીણ સભ્યતા વિકસી રહી હતી. હવે રિસર્ચરો અને તમામ શૈક્ષણિક નિષ્ણાતોની સામે જ્વલંત પ્રશ્ન એ છે કે શું તે ઉલ્કાપિંડની સિંધુ ખીણ સભ્યતા પર કોઈ અસર પડી હતી. 

મશહૂર સિંધુ સભ્યતા સ્થળ ધોળાવીરાથી 200 કિલોમીટર દૂર પડી હતી ઉલ્કાપિંડ!

કેરળ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યુ કે ઉલ્કાપિંડ જે સ્થળે પડી હતી તે તો લૂના છે પરંતુ મશહૂર સિંધુ ખીણ સભ્યતા સ્થળ ધોળાવીરા તેનાથી લગભગ 200 કિલોમીટર જ દૂર છે. લૂનામાં 2 કિલોમીટર લાંબુ ક્રેટર છે અને જે ઉલ્કાપિંડ અહીં પડી હશે તેનો આકાર 200-400 મીટર રહ્યો હશે.

તેમણે આગળ જણાવ્યુ કે અમે ઉલ્કાપિંડ પડવાના કારણે વનસ્પતિઓ અને જાનવરોના વિલુપ્ત થવાની હંમેશા ચર્ચા કરે છે પરંતુ શું ક્યારેય માનવ સભ્યતા પર તેની અસર પડી તે સ્પષ્ટ નથી. તેથી આ તે દિશામાં અભ્યાસ છે કે શું કોઈ માનવ સભ્યતા સંભવત: ઉલ્કાપિંડ પડવાના કારણે નષ્ટ થઈ.

પ્લેનેટરી એન્ડ સ્પેસ સાયન્સમાં આવેલા એક તાજેતરના અભ્યાસે એ વાતની પુષ્ટિ કરી છે કે લૂનામાં લોખંડની ઉલ્કા પડવાના કારણે 1.88 કિલોમીટર પહોળા ખાડા હાજર છે. જે ઉલ્કાપિંડ પડી હતી તેનો વ્યાસ લગભગ 200 મીટર રહ્યો હશે.

ભારતમાં ઉલ્કાપિંડ પડવાથી બનનાર ચોથા વિશાળ ખાડાની શોધ

ઉલ્કાપિંડ આગના ગોળાની જેમ હોય છે. તેના પડવાના કારણે આસપાસની તમામ વસ્તુઓ પીગળી જાય છે અને તેનાથી બને છે મેલ્ટ-રોક. લૂનાથી લગાવવામાં આવેલા સેમ્પલમાં વુસ્ટાઈટ, કિરસ્ટેઈનાઈટ, ઉલ્વોસ્પિનેલ અને હર્સિનાઈટ જેમ ઉચ્ચ-તાપમાન વાળા ખનીજ હાજર છે.

લૂનામાં મળેલા વિશાળ ખાડા ઉલ્કાપિંડ પડવાથી બનેલા ક્રેટરના ભારતમાં મળનાર ચોથો મામલો છે. એટલુ જ નહીં, લૂનામાં જે ઉલ્કાપિંડ પડી હતી, તે સમયાનુસાર ભારતમાં પડનાર ઉલ્કાપિંડમાં સૌથી યુવા છે એટલે કે અત્યાર સુધી જે 4 ઉલ્કાપિંડોના પડવાના પ્રમાણ છે, તેમાં આ સૌથી છેલ્લે પડી હશે. ભારતમાં જે અન્ય સ્થળો પર ઉલ્કાપિંડના પડવાથી બનેલા વિશાળ ખાડા એટલે કે ક્રેટર છે તે છે - ઢાલા (મધ્ય પ્રદેશ), રામગઢ (રાજસ્થાન) અને લોનાર (મહારાષ્ટ્ર).

ઉલ્કાપિંડના આકારના 10-20 ગણા મોટા આકારમાં બને છે ક્રેટર

ઉલ્કાપિંડથી બનેલા ક્રેટર એટલે કે વિશાળ ખાડા તેના આકારથી 10-20 ગણાથી પણ વધુ મોટા હોય છે. કેરળ યુનિવર્સિટીની ટીમે 1 મીટરના ખાડા ખોદ્યા હતા અને તેમને લગભગ 10 સેન્ટીમીટરની જ ઊંડાઈમાં સેમ્પલ મળી ગયા હતા. આ એ વાતનો સંકેત છે કે આ સૌથી યુવા ક્રેટર છે.

આ સિંધુ નદીનું એક એક્ટિવ સ્ટ્રેચ છે. તેથી આ વિસ્તારમાં ઘણી નદીઓથી વહીને આવે છે. ખૂબ ઓછી ઊંડાઈમાં આ સેમ્પલ મળી ગયા જે સંકેત છે કે આ ક્રેટર સૌથી યુવા છે.

આ વિસ્તારમાં સેમ્પલ લેવા માટે 4 વખત ગયા. ભેજવાળી ભૂમિ હોવાના કારણે સેમ્પલ એકત્ર કરવુ ખૂબ મુશ્કેલ છે પરંતુ જુલાઈ 2022માં આપણે નસીબદાર રહ્યા. તપાસ માટે સૂકાયેલુ સેમ્પલ મળી ગયુ. 

લૂના વિશે કહેવાય છે કે અહીં ઉલ્કાપિંડ પડવાથી બનેલો ખાડો હાજર છે પરંતુ એ જરૂરી નથી છે કે પૃથ્વી પર બનેલો વિશાળ ખાડો ઉલ્કાપિંડના કારણે જ બન્યો હોય. જ્વાળામુખી વિસ્ફોટથી પણ આવા પણ ક્રેટર બને છે.

Tags :