IAC-814 ફ્લાઇટમાં રૂપીન કાત્યાલની હત્યા કરનાર હાઈજેકર ઇબ્રાહીમની કરાચીમાં હત્યા
- 25 ડિસેમ્બર 1999ના દિવસે નવ વિવાહિત રૂપીનની ઇબ્રાહીમ અઝહરે વિમાનમાં જ હત્યા કરી હતી
નવી દિલ્હી : બે દાયકા પછી ઇન્ડીયન એરલાઈન્સનાં ઉડ્ડયન IAC-814માં નવ વિવાહિત રૂપીન કાત્યારની હત્યા કરનારા હાઈજેકર ઝહર ઇબ્રાહીમની કરાચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઇબ્રાહીમની હત્યા થયા પછી હવે જૈશ-એ-મોહમ્મદના માત્ર બે જ ટોચના નેતાઓ બાકી રહ્યા છે. આ અંગે મોડેથી પ્રાપ્ત થયેલા સમાચારો પ્રમાણે તે હાઈજેકરની તા. ૧લી માર્ચના દિને અજાણ્યા શખ્સે, ગોળી મારી હત્યા કરી હતી. તે હત્યા પછી જૈશના માત્ર બે ટોચના આતંકીઓ, ઇબ્રાહીમ અઝહર અને રાઉફ અસગર બાકી (જીવંત) રહ્યા છે.
તા. ૨૫ ડિસેમ્બર ૧૯૯૯ના દિને રૂપીન કાત્યાલ અને તેની પત્ની, કઠમંડુમા હનીમૂન ઉજવી દિલ્હી પાછાં ફરી રહ્યાં હતાં. ત્યારે તે વિમાન IAC-814 ને હાઈજેક કરી UAR તરફ લઇ જવાનો આતંકીઓએ પાયલોટને હુક્મ કરતાં કાત્યાલે હાઈજેકર્સ સાથે ઉગ્ર વિવાદ શરૂ કરતાં ઇબ્રાહીમે છરી મારી તેની ધોરી નસને ગળા (પાસેથી) કાપી નાખતાં તેનું તુર્ત જ મૃત્યુ થયું હતું. પરંતુ તેને પાયલોટસની કેબીન પાછળની આન્તે-કેબીનમાં (મૃતદેહને) રાખી તેની પત્નીને આશ્વાસન આપતાં કહેવામાં આવ્યું કે તેની સારવાર ચાલે છે. છેવટે વિમાન દિલ્હી ઉતર્યા પછી તે દુર્ભાગી મહિલાને દુ:ખદ સમાચાર કહેવામાં આવ્યા હતા. જે તે સમયે રીપોર્ટેડ પણ થઇ ગયું હતું.
ઇબ્રાહીમ અઝહર અને શાહીદ અખતર સઇદ જે બંને આતંકીઓ હજી બચી રહેલા છે. તે પૈકી શાહીદ અખ્તર, સઇદનો અત્યારે સરહદ પ્રાંતના કાનૂની વિહોણા પુખ્તુનવા વિસ્તારમાં પહોંચી ગયો છે. એવું પણ જાણવા મળ્યું છે કે તે પાંચ ટોચના આતંકીઓ પૈકી એકનું કુદરતી મૃત્યુ જ નિપજ્યું હતું. જ્યારે એક અન્ય આતંકી ૧૩ ડિસે. ૨૦૦૧ના દિવસે પાર્લામેન્ટ પર કરેલા હુમલામાં માર્યો ગયો હતો. તેને ભારતનાં સલામતી દળોએ જ મારી નાખ્યો હતો.
વાસ્તવમાં IAC-814 ની ઘટના અને વિશેત: ડિસેમ્બર ૨૦૦૧ના પાર્લામેન્ટ (સંસદગૃહ) ઉપર થયેલા હુમલા પછી ભારત પાકિસ્તાન ઉપર આક્રમણ જ કરવાનું હતું પરંતુ પશ્ચિમના દેશોએ તેમ કરતાં ભારતને અટકાવ્યું હતું.