માનવતા મરી પરવારી, હરિદ્વારમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડામાં હોસ્પિટલના કર્મીએ દાખલ ન કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Representative image |
Uttarakhand News: ઉત્તરાખંડના તીર્થસ્થળ હરિદ્વારથી માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક ગર્ભવતી મહિલા હોસ્પિટલમાં દાખલ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણીએ જમીન પર જ બાળકને જન્મ આપ્યો હતો. પરિવારજનનો આરોપ છે કે, ફરજ પરના ડૉક્ટરે ગર્ભવતી મહિલાને એમ કહીને પાછા મોકલી દીધા હતા કે ત્યાં ડિલિવરી શક્ય નથી.
હોસ્પિટલની કામગીરી પર સવાલો ઊભા થયા
અહેવાલો અનુસાર, હોસ્પિટલ સ્ટાફે પણ ગર્ભવતી મહિલાની મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ હોસ્પિટલ વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
પીડિતાના પરિવારજનએ જણાવ્યું હતું કે, 'જ્યારે અમે સવારે અહીં આવી ત્યારે યુવતી સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે વિશે બધું કહ્યું, અને જ્યારે અમે તેને અંદર લઈ ગયા, ત્યારે કોઈ પીડિત યુવતીને પલંગ પર મૂકવા તૈયાર નહોતું. ડિલિવરી પછી હોસ્પિટલ સ્ટાફે કહ્યું, '...શું તમે બીજા બાળકને જન્મ આપશો?' શું કોઈ આવું બોલે છે? અહીં બેઠેલા ડૉક્ટર અને નર્સ કહી રહ્યા હતા કે તે નાઈટ ડ્યુટી પર છે. રાત્રે 1:30 વાગ્યે એક બાળકીનો જન્મ થયો. બંને ઠીક છે. જ્યારે આવી બેદરકારી થાય છે ત્યારે જ માતા અને બાળકના જીવને જોખમ હોય છે. જો બાળકને કંઈક થયું હોત, તો જવાબદારી કોણ લેત? ડિલિવરી જમીન પર જ થઈ હતી. અમારી માંગણી છે કે જે કોઈ આગળ આવે તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવે. લોકો અહીં ખુશીમાં નહીં, પણ દુઃખમાં આવે છે.'
આ પણ વાંચો: પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન
સીએમઓ આરકે સિંહે જણાવ્યું હતું કે, 'મેં મહિલા હોસ્પિટલ સાથે વાત કરી છે અને લેખિત નિવેદન માંગી રહ્યો છું. મારા ધ્યાન પર આવ્યું છે કે મહિલા રાત્રે લગભગ 9:30 વાગ્યે આવી હતી અને તેને ઈમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવી હતી. તેણીને ડિલિવરી થવાની હતી, પરંતુ તેણીએ 1:30 વાગ્યે ડિલિવરી કરી. વીડિયોની સત્યતા શંકાસ્પદ છે. મને કોઈ માહિતી મળી નથી, અને મેં ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી છે, જેમણે આવું કંઈ કહ્યું નથી. જો કોઈ દોષિત ઠરે છે, તો કાર્યવાહી કરવામાં આવશે.'









