India

'મારો શું વાંક હતો...' બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તુ કાપી નાખતાં રડી પડી મહિલા ધારાસભ્ય

By GS TEAM
16 Oct 20252 mins read
TukuTouch Logo
વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના કારણે બિહારની દરેક પાર્ટીમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. આ માહોલ વચ્ચે, જ્યારે બીજેપીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ત્યારે ગોપાલગંજ સદરના ધારાસભ્ય કુસુમ દેવીને ટિકિટ આપવામાં આવી નહીં. તેમની જગ્યાએ પાર્ટીએ જિલ્લા પરિષદના અધ્યક્ષ સુભાષ સિંહને ઉમેદવાર બનાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'મારો શું વાંક હતો...' બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તુ કાપી નાખતાં રડી પડી મહિલા ધારાસભ્ય

BJP MLA Kusum Devi: વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના કારણે બિહારની દરેક પાર્ટીમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. આ માહોલ વચ્ચે, જ્યારે બીજેપીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ત્યારે ગોપાલગંજ સદરના ધારાસભ્ય કુસુમ દેવીને ટિકિટ આપવામાં આવી નહીં. તેમની જગ્યાએ પાર્ટીએ જિલ્લા પરિષદના અધ્યક્ષ સુભાષ સિંહને ઉમેદવાર બનાવ્યા.

BJPએ ટિકિટ કાપતા કુસુમ દેવી અને પુત્ર રડી પડ્યા; 'મહિલા સશક્તિકરણ માત્ર વાતો!'

ટિકિટ કપાવાના આ નિર્ણય બાદ ધારાસભ્ય કુસુમ દેવી અત્યંત ભાવુક બની ગયા હતા અને પોતાના નિવાસસ્થાને હાજર કાર્યકર્તાઓ વચ્ચે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માતાની આંખોમાં આંસુ જોઈને તેમના પુત્ર અનિકેત સિંહ પણ પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યા અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા.

પાર્ટી પર વિશ્વાસઘાતનો ગંભીર આરોપ લગાવતા ધારાસભ્ય કુસુમ દેવીએ જણાવ્યું કે, 'અમે છેલ્લા 20 વર્ષથી ભાજપની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. જ્યારે પણ પાર્ટીને જરૂર પડી, અમે દરેક સંજોગોમાં જનતા વચ્ચે જઈને કામ કર્યું છે. પાર્ટી દ્વારા અમને નામાંકન માટેની તૈયારી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ મીડિયાના માધ્યમથી અમને જાણ થઈ કે અમારી ટિકિટ કાપી નાખવામાં આવી છે. હું સારણ પ્રમંડળની એકમાત્ર મહિલા ધારાસભ્ય હતી. એક તરફ મહિલા સશક્તિકરણની મોટી વાતો થાય છે અને બીજી તરફ મારી સાથે આ અન્યાય કરવામાં આવ્યો છે.'

પુત્ર અનિકેત સિંહે BJP પર 'પૈસાની રાજનીતિ'નો આરોપ લગાવ્યો

ભાવુક થયેલા કુસુમ દેવીએ પાર્ટીને પૂછ્યું કે તેમની ભૂલ શું હતી, જેના પગલે ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો. આ દરમિયાન ધારાસભ્યના નિવાસસ્થાને એકઠા થયેલા કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ અને નેતા મિથિલેશ તિવારી વિરુદ્ધ 'મુર્દાબાદ'ના નારા લગાવ્યા.

વળી, ધારાસભ્યના પુત્ર અનિકેત સિંહે પણ મંચ પરથી પોતાની નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત કરી. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટી હવે કાર્યકર્તાઓને બદલે માત્ર પૈસાની રાજનીતિ કરી રહી છે. તેમના મતે, પ્રદેશ અધ્યક્ષ અને અમુક નેતાઓએ ટિકિટને વ્યવસાય બનાવી દીધો છે અને આવા સંજોગોમાં જનતા ભાજપને પાઠ ભણાવશે.

આ પણ વાંચો: મોબાઈલ ગેમ રમતાં 13 વર્ષના કિશોરનું મોત, પરિજનોએ કહ્યું- ફ્રી ફાયર ગેમની કૂટેવ પડી હતી

કુસુમ દેવી અપક્ષ મેદાનમાં ઉતરી શકે છે

હવે એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે શું કુસુમ દેવી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરશે. સમર્થકો સતત તેમને ચૂંટણી લડવાની સલાહ આપી રહ્યા છે. જો આવું થશે તો ગોપાલગંજ અને બૈકુંઠપુર બંને બેઠકોના સમીકરણ બદલાઈ શકે છે. ભાજપના આંતરિક અસંતોષે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ટિકિટ વહેંચણીએ પાર્ટીની અંદર બળવાખોર નેતાઓમાં હલચલ વધારી દીધી છે.