યુપી અને પંજાબમાં કોંગ્રેસનો સફાયો થયા બાદ આશા સેવાઈ રહી હતી કે ગોવામાં કોંગ્રેસ સત્તામાં પરત ફરી શકે છે. જોકે એક્ઝિટ પોલના તારણમાં દેખાઈ રહ્યું છે કે આ રાજ્યમાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ શકે છે.
એક્ઝિટ પોલના સર્વેના અનુસાર 40 બેઠકોમાંથી કોંગ્રેસને ફાળે 11થી 17 બેઠકો આવી શકે છે તો ભાજપને 16થી 22 બેઠકો મળી શકે છે. જોકે આ રાજ્યમાં આમ આદમી પાર્ટીને પણ મહત્તમ 2 બેઠકો મળી શકે છે એટલેકે આ રાજ્યમાં અંદાજ છે કે અન્યને ફાળે 5થી 7 બેઠકો જઈ શકે છે.
જો આ સર્વે સાચો પડે તો ગોવામાં તોડો-જોડો સરકાર બનાવોની નીતિ અપનાવાઈ શકે છે.
Exit Poll Survey :
પંજાબમાં આપના ઝાડુથી કોંગ્રેસનો સફાયો...!
Exit Poll : મણિપુરમાં વાગશે ભાજપનો ડંકો
Exit Poll : ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકારની સંભાવના
ઉત્તરાખંડના Exit Poll : બીજેપી-27, કોંગ્રેસ-32, AAPનું ખાતું ખુલવાની સંભાવના નહિ


