Get The App

ગોવાના CM મનોહર પારિકરનું નિધન, સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર

Updated: Mar 17th, 2019

GS TEAM

Google News
Google News
ગોવાના CM મનોહર પારિકરનું નિધન, સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર 1 - image

નવી દિલ્હી, તા. 17 માર્ચ 2019, રવિવાર

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું લાંબી માંદગી બાદ આજે રવિવારે સાંજે નિધન થયું છે. રાષ્ટ્રપત રામનાથ કોવિંદે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મનોહર પારિકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમનું સ્વાસ્થ્ય બગડ્યા બાદ શનિવારથી તેઓ સારવાર હેઠળ હતા.

મનોહર પારિકર છેલ્લા ઘણા સમયથી સ્વાદૂપિંડના કેન્સરથી પીડાય રહ્યાં હતા. ફેબ્રુઆરી 2018માં તેમને એડવાન્સ પૈન્ક્રિએટિકનું કેન્સર હોવાની ખબર પડી  હતી. ઘણાં લાંબા સમયથી કેન્સરથી પીડિત પારિકર એક સાદગીભર્યા અને ઇમાનદાર નેતાઓમાં થતી હતી. IIT બોમ્બેથી ગ્રેજ્યૂએટ થયેલા પારિકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય પ્રચારક હતા અને ગોવાના ત્રણવાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય કેન્દ્ર સરકારમાં રક્ષામંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળમાં જ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી.

તેમના નિધનના એક કલાક પહેલા ગોવા CMO તરફથી જણાવવામાં આવ્યું હતું કેસ મુખ્યમંત્રી મનોહર પારિકરની સ્થિતી ખૂબ નાજુક છે. ડોક્ટર તરફથી પુરો  પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Tags :