Get The App

NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો 1 - image

Ghaziabad NEET Apirant Self-destruction: NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ એક ભાવનાત્મક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાના મૃત્યુનું કારણ જણાવ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

આ ઘટના ગાઝિયાબાદના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય વિદ્યાર્થી લાંબા સમયથી NEET પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં નિષ્ફળ જવાને કારણે તે ખૂબ જ તણાવમાં હતો. ગુરુવારે(18 જૂન) રાત્રે, તે રાબેતા મુજબ અભ્યાસ કરવા માટે તેના રૂમમાં ગયો હતો. બીજા દિવસે સવારે જ્યારે રૂમ લાંબા સમય સુધી ખૂલ્યો નહીં તો તેના પરિવારના સભ્યો અંદર જતાં ચોંકી ઉઠ્યા હતા. રૂમમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલત જોવા મળ્યો હતો.

આપઘાત પહેલા વીડિયો બનાવ્યો 

ઘટનાની માહિતી મળતાં વિજયનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા તેના મોબાઇલ ફોન પર એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, અનેક પ્રયાસો છતાં NEET પરીક્ષા પાસ ન થવાને કારણે તે માનસિક દબાણમાં હતો. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે, તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.

કોતવાલીના એસીપીએ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે વિદ્યાર્થીના મોબાઇલમાંથી વીડિયો કબજે કર્યો છે અને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા

આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે NEET-UG 2026 ની પુનઃપરીક્ષા 21 જૂન, રવિવારના રોજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાવાની છે. ભારત અને વિદેશમાંથી 22.79 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહે તેવી અપેક્ષા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા હંમેશની જેમ પેન-એન્ડ-પેપર (ઓફલાઇન) મોડમાં લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2:00 થી સાંજે 5:15 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. PwD અને PwBD ના વિદ્યાર્થીઓને નિયમો અનુસાર વધારાનો સમય આપવામાં આવશે, જેનાથી તેઓ સાંજે 6:20 વાગ્યા સુધીમાં તેમની પરીક્ષા પૂર્ણ કરી શકશે.