India

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને આ પ્રોડક્ટ્સ નવા અવતારમાં જોવા મળશે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ (સેશે) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર
 AI IMAGE

Pan Masala Plastic Packaging Ban: જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને આ પ્રોડક્ટ્સ નવા અવતારમાં જોવા મળશે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ (સેશે) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.

FSSAIનો મોટો નિર્ણય

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) સુધારા નિયમ, 2026નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમનો હેતુ પાન મસાલા ઉદ્યોગમાંથી પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી ખતમ કરવાનો છે.

શું પ્રતિબંધિત થશે?

નવા ડ્રાફ્ટ મુજબ કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ કે સેશે પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત પોલીથીન, પીવીસી (PVC) કે અન્ય સિન્થેટિક મટીરિયલ, ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગનો ઉપયોગ કરી શકાશે નહી. માત્ર વેચાણ જ નહીં, પણ આ ઉત્પાદનોના પેકેજિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવશે.

આ પણ વાંચો: સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન

હવે કેવું હશે પેકેજિંગ?

પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સરકારે કુદરતી અને રિસાયકલ થઈ શકે તેવી સામગ્રીના પ્રયોગ માટેની છૂટ આપી શકે છે. જેમાં પેપર અથવા પેપર બોર્ડ, સેલ્યુલોઝ જેવી કુદરતી સામગ્રી, ટીન કન્ટેનર અથવા કાચની બોટલ/ડબ્બાનો ઉપયોગ કરી શકાશે. 

કેમ લેવાયો આ નિર્ણય?

પાન મસાલાના નાના પ્લાસ્ટિક પાઉચ ગમે ત્યાં ફેંકવાને કારણે ગટરો જામ થાય છે અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. આ કચરાનો નિકાલ કરવો લગભગ અશક્ય હોય છે. કુદરતી પેકેજિંગથી આ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.

તમારો અભિપ્રાય પણ આપી શકશો

FSSAI એ આ ડ્રાફ્ટ જાહેર કરીને આગામી 30 દિવસમાં જનતા અને ઉદ્યોગ જગત પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર તેને કાયદા તરીકે લાગુ કરશે.