વસ્તી ગણતરી વખતે તમને કરાશે છ નવા સવાલ, કયું અનાજ અને કેટલા મોબાઇલ છે એ પણ કહેવું પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

6 New Questions in India's Census : ભારતમાં આગામી સમયમાં થનારી વસ્તી ગણતરી દેશની સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક તસવીરને સમજવા માટે મહત્ત્વપૂર્ણ સાધન છે. જે પ્રમાણે 2027માં થનારી વસ્તી ગણતરી કેટલીક રીતે ઐતિહાસિક હશે, કારણ કે, આ પહેલીવાર સંપૂર્ણરીતે ડિજિટલ સ્વરુપે કરવામાં આવશે. આ સિવાય આઝાદી પછી પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. 1931 પછી આ પહેલો પ્રસંગ હશે, જ્યારે દેશની બધી જાતિઓનો ડેટા એકત્રિત કરવામાં આવશે.
આ પણ વાંચો : ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો, 45ના મોત: હમાસનો ઈઝરાયલ પર આરોપ
આ વસ્તી ગણતરીમાં કેટલાક નવા સવાલોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે આધુનિક જીવનશૈલી અને વિકાસના માપદંડો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નવા પ્રશ્નોમાં ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન, મોબાઇલ અને સ્માર્ટફોનની ઉપલબ્ધતા, પીવાના પાણીનો સ્ત્રોત, ગેસ કનેક્શનનો પ્રકાર, વાહનોની ઉપલબ્ધતા અને ઘરમાં ઉપયોગ થતાં અનાજનો પ્રકાર પણ શામેલ છે.
કેમ જરુરી છે 6 સવાલો
1. ઘરમાં ઇન્ટરનેટનું કનેક્શન છે
આ પ્રશ્નનો ઉદેશ્ય ડિજિટલ કનેક્ટીવિટીનું આકલન કરવાનો છે. સરકાર એ જાણવા માંગે છે કે, કેટલા પરિવાર પાસે ઇન્ટરનેટ કનેક્શન છે અને તેનાથી કેટલા ડિવાઇસ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.
2. મોબાઇલ ફોન અને સ્માર્ટફોનના માલિક કોણ છે
આ સવાલ હેઠળ એ પૂછવામાં આવશે કે, પરિવારમાં કેટલા સભ્યો પાસે મોબાઇલ ફોન અને સ્માર્ટફોન છે અને તેનો માલિકી હક કોની પાસે છે. આ ડેટા મોબાઇલ અને સ્માર્ટફોનની પહોંચને માપવામાં મદદ કરશે.
3. ઘરમાં પીવાના પાણીનો સ્ત્રોત
પીવાના પાણીનો સ્ત્રોત એક મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો સંકેત છે. આ સવાલ દ્વારા સરકાર એ જાણવા માગે છે કે, પરિવાર કૂવા, હેન્ડપંપ, નળ, બોટલ પાણી અથવા અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરે છે. આ જળ જીવન મિશન જેવી યોજનાની પ્રગતિ માપવામાં મદદ મળશે.
4. ક્યા પ્રકારનું ગેસ કનેક્શન છે
આ સવાલમાં એ પૂછવામાં આવ્યું છે કે, રાંધવા માટે ક્યા પ્રકારના ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે, એલપીજી, પીએનજી, લાકડાં, છાણા અથવા અન્યનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો : આંદામાનમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર! 5 ગણી વધી જશે ભારતની GDP
5. કઈ કઈ ગાડી છે
આ સવાલ હેઠળ પરિવારની પાસે ઉપલબ્ધ વાહનો જેવા કે સાયકલ, સ્કૂટર, મોટર સાયકલ, કાર, જીપ અથવા વેનની માહિતી એકત્ર કરવામા આવશે. આ ડેટા પરિવહન અને આર્થિક સ્થિતિના વિશ્લેષણમાં મદદ મળશે.
6. ઘરમાં ક્યા પ્રકારના અનાજનો ઉપયોગ કરવામાં આવે છે
આ સવાલ હેઠળ ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિને સમજવા માટે સામેલ કરવામાં આવ્યો છે. સરકાર એ જાણવા માંગે છે કે, પરિવાર મુખ્યત્વે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી અથવા અન્ય કોઈ અનાજનો ઉપયોગ કરે છે. આ ડેટા બાજરીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં અને ખાદ્ય નીતિઓમાં સુધારો કરવામાં મદદ કરશે.








