સિક્કિમ-મણિપુર જળબંબાકાર, 32થી વધુના મોત, 3300થી વધુ મકાનો ધરાશાયી
North-East Heavy Rain: ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. મણિપુરમાં વરસાદે તબાહી મચાવી છે. પૂરની સ્થિતિમાં 19 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ સત્તાવાર માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસમાં સતત વરસી રહેલા અનારાધાર વરસાદના કારણે પૂર આવતાં 32 લોકોના મોત થયા છે, 3365 ઘર તણાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈમ્ફાલના પૂર્વીય જિલ્લામાં અનેક રાહત શિબિર કેમ્પ શરુ કરવામાં આવ્યા છે.
આ જિલ્લામાં સૌથી વધુ નુકસાન
વરસાદના કારણે મણિપુરના સેનાપતિ જિલ્લાની સાથે સાથે ઈમ્ફાલના પૂર્વીય જિલ્લા હિનગાંગ, વાંગખેઈ અને ખુરઈ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. તદુપરાંત આસામ, સિક્કમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ મૂશળધાર વરસાદ, પૂર, અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે.
સિક્કિમમાં 32 લોકોના મોત
સિક્કિમમાં ફસાયેલા પર્યટકોને પોલીસ, સ્થાનિકો, વન કર્મીઓ અને લાચુંગ હોટલ ઍસોસિએશન દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 32 લોકોના મોત થયા છે. લાચુંગ હોટલ ઍસોસિએશનના અધ્યક્ષ ગ્યાત્સો લાચુંગપા સ્થાનિક પ્રશાસનના સહયોગમાં અટવાયેલા લોકોને બહાર સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે.
આ પણ વાંચોઃ INDIA ગઠબંધનમાં તિરાડ! બિહાર વિધાનસભામાં AAP તમામ 243 બેઠકો પર લડશે ચૂંટણી
અરુણાચલમાં IAFએ મોરચો સંભાળ્યો
અરુણાચલ પ્રદેશમાં સેનાએ અત્યારસુધીમાં ભારે વરસાદમાંથી 14 લોકોને બચાવ્યા છે. અનેક રસ્તાઓ, ગામડાંઓમાં પાણી ફરી વળતાં ભારતીય વાયુ સેના (IAF)એ બચાવ કામગીરી હાથ ધરવી પડી છે. જેમાં અરુણાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તાર દિબાંગ ખીણમાં પૂરગ્રસ્ત બોમઝીર નદીમાં ફસાયેલા 14 લોકોને બચાવવામાં આવ્યા છે. ગુવાહાટીના રક્ષા જનસંપર્ક અધિકારી અનુસાર, આસામ અને અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બચાવ અભિયાન શરુ કર્યા છે. તેમજ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા આદેશ આપવામાં આવ્યો છે.
વિનાશક પૂરમાં 32 લોકોના મોત
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે સર્જાયેલા વિનાશક પૂરમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે અનેક ગુમ છે. સેપ્પા પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં હાઇવે પર પૂરના કારણે સાત લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. આઈએએફએ એમઆઇ-17 હેલિકોપ્ટરની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
6 જૂન સુધી રેડ ઍલર્ટ
હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ માટે 6 જૂન સુધી રેડ ઍલર્ટ જારી કર્યું છે. છ જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.