Get The App

અમૃતસરમાં બીએસએફના જવાનનો સાથીઓ પર બેફામ ગોળીબાર, પાંચનાં મોત

Updated: Mar 6th, 2022

GS TEAM

Google News
Google News
અમૃતસરમાં બીએસએફના જવાનનો સાથીઓ પર બેફામ ગોળીબાર, પાંચનાં મોત 1 - image


લાંબા સમયથી ડયૂટી પર તૈનાત રહેવાથી જવાને સંયમ ગુમાવ્યો

જવાનો પર ગોળીબાર કરી પોતાને ગોળી મારી લીધી, બીએસએફ દ્વારા કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ અપાયા

અમૃતસર : પંજાબના અમૃતસરમાં બીએસએફના એક જવાને પોતાના જ સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હતો, જેને પગલે ચાર જવાનો માર્યા ગયા હતા. જ્યારે અંતે ગોળીબાર કરનારા જવાનનું પણ મોત નિપજ્યું હતું. આ ઘટના અમૃતસર સિૃથત બીએસએફના સૈન્ય કેમ્પમાં બની હતી.

સૈન્યના જણાવ્યા અનુસાર જવાન માનસીક સંતુલન ખોઇ બેઠો હતો અને અન્ય જવાનો તેમજ અિધકારીઓથી નારાજ પણ હતો. ગોળીબાર કરનારા જવાનનું નામ સાતેપ્પા એસ કે છે અને તે કર્ણાટકનો રહેવાસી છે. તેને અમૃતસર સિૃથત બીએસએફના કેમ્પમાં તૈનાત કરવામાં આવ્યો હતો.

એવા અહેવાલો છે કે ગોળીબાર કરનારો જવાન પોતાની ડયૂટીથી નારાજ હતો, ઘણા સમયથી તેની પાસેથી કામ લેવામાં આવી રહ્યું હતું. સતત ડયૂટી પર રહેવાને કારણે પરેશાન જવાને શનિવારે પોતાના અિધકારીઓની સાથે વાતચીત પણ કરી હતી. જે દરમિયાન તેની અિધકારીઓની સાથે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. તેમ છતા તેને કોઇ પણ પ્રકારની રાહત નહોતી મળી. 

રવિવારે સવારે જવાન સત્તેપ્પા ડયૂટી પર તૈનાત હતો, આ દરમિયાન તેનો ગુસ્સો વધતો ગયો જેને કારણે તેણે પોતાની પાસે જે રાઇફલ હતી તેનાથી ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું.  જવાન દ્વારા થયેલા ગોળીબારમાં ચાર જવાનો મોતને ભેટયા હતા જ્યારે અંતે પોતાને પણ ગોળી મારી લીધી હતી,

જોકે એવા પણ અહેવાલો છે કે ગોળીબાર કરનારા જવાનનું મોત કેવી રીતે થયું તે સ્પષ્ટ નથી થઇ શક્યું.  ઘટના બાદ મૃતક જવાનોના પરિવારજનોને ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. હાલ સમગ્ર મામલાની બીએસએફ દ્વારા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા છે.

Tags :